પ્રધાનમંત્રી મોદીએ UNના ઉચ્ચસ્તરીય કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચસ્તરીય કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જમીનના ધોવાણ, રણ વિસ્તારનો વધતો વ્યાપ તેમજ દુષ્કાળ વિષય પર સંબોધન કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચસ્તરીય કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જમીનના ધોવાણ, રણ વિસ્તારનો વધતો વ્યાપ તેમજ દુષ્કાળ વિષય પર સંબોધન કર્યું હતું.
વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલ સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચસ્તરીય કાર્યક્રમમાં સંબોધન કરતાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યુ હતું કે, રણના વધતા વ્યાપ તેમજ દુષ્કાળની અસર, સુરક્ષા, આરોગ્ય, જીવનની ગુણવત્તા તેમજ આર્થિક ધારાધોરણ ઉપર પણ પડે છે. તેમણે વધતા રણ વિસ્તાર અને જમીનના ધોવાણને વિકાસશીલ દેશો માટે મોટો પડકાર ગણાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતે આ સમસ્યાને દુર કરવા માટે મહત્વના પગલાં ભર્યા છે. તેમણે કહ્યું હતુ કે, ભારતે પૃથ્વીને હંમેશા માંનો દરજ્જો આપ્યો છે. ગત 10 વર્ષમાં ભારતમાં 30 લાખ હેક્ટર વન વિસ્તાર વધ્યો છે. તેમણે ગુજરાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાના બન્ની વિસ્તારને ઘાસવાળી જમીનમાં રૂપાંતરિત કરવામાં આવી છે.
