બદ્રીનાથ ધામના કપાટ ભક્તો માટે ખૂલ્યા, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Live TV
-
રવિવારે જ્યોર્તિલિંગ કેદારનાથના દ્વાર ખૂલ્યા બાદ આજે સોમવારે બદ્રીનાથ ધામના કપાટ ભક્તજનો માટે ખૂલી ગયા છે. મંત્રોચ્ચાર બાદ વિધિવત રીતે બદ્રીનાથના દ્વાર ખોલવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા.
વિશેષ પૂજા અર્ચના બાદ બદ્રીનાથના કપાટ ખોલવામાં આવ્યા હતા. અગાઉ રવિવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને રાજ્યપાલની ઉપસ્થિતિમાં કેદારનાથ ધામના દ્વાર પણ ખોલવામાં આવ્યા હતા. આ પ્રસંગે 10 હજાર જેટલા ભક્તજનો ઉમટ્યા હતા. કેદારનાથ ધામમાં એક સપ્તાહ સુધી દરરોજ સાઉન્ડ અને લાઇટ શો પણ યોજવામાં આવી રહ્યો છે.