ભારતમાં છેલ્લા 24 કલાકમાં 37,566 નવા કોરોના કેસ નોંધાયા, 56,994 દર્દીઓ સાજા થયા
Live TV
-
ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં 37,566 નવા કોરોના કેસ નોંધાયા છે.
ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં 37,566 નવા કોરોના કેસ નોંધાયા છે. આ સાથે કુલ 56,994 કોરોના દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 907 દર્દીઓનાં મોત થયા હતા.
આ સાથે ભારતમાં કોરોનાના કુલ કેસનોં આકડો 3,03,16,897 પર પહોંચ્યો છે. કોરોનાથી સાજા થનાર લોકોનો આંકડો 2,93,66,601 પર પહોંચ્યો છે અને તેનો રેટ 96.87% થયો છે. હાલ દેશમાં કુલ કોરોના એક્ટિક કેસ ઘટીને 5,52,659 પર પહોંચ્યા છે. અત્યાર સુધી કુલ 3,97,637 દર્દીનાં કોરોનાથી મૃત્યુ પામ્યા છે.
