યોગી આદિત્યનાથ પ્રધાનમંત્રીની મુલાકાત બાદ રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા
Live TV
-
યોગી આદિત્યનાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાજ્યમાં કોવિડ અને રસીકરણની સ્થિતિ માટે જાણકારી આપી
આજે નવી દિલ્હી ખાતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. યોગી આદિત્યનાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાજ્યમાં કોવિડ અને રસીકરણની સ્થિતિ માટે જાણકારી આપી. તેમણે અન્ય મુદ્દાઓ પર પણ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી. ત્યાર બાદ યોગી આદિત્યનાથ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી નડ્ડાને મળ્યા. ગઈકાલે યોગી આદિત્યનાથે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. પાર્ટી નેતાઓને મળ્યા બાદ હવે, આદિત્યનાથ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યા છે.
