હરિયાણાએ અમુક છૂટછાટ સાથે 5 જુલાઈ સુધી લંબાવ્યું લોકડાઉન
Live TV
-
હરિયાણા સરકારે કોરોના વાયરસના કારણે પાંચ જુલાઇ આગામી અઠવાડિયા સુધી વધારવાની જાહેરાત કરી છે અને સાથે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ જારી કરાયેલા એક નવા આદેશમાં રાજ્ય સરકારે સંશોધનકર્તાઓ અને પ્રાયોગિક વર્ગો માટે યુનિવર્સિટી કેમ્પસ ખોલવાની મંજૂરી આપી હતી.
રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના આંગણવાડી કેન્દ્રો 31 જુલાઈ સુધી બંધ રહેશે. દુકાનો, મોલ્સ, રેસ્ટોરાં, ધાર્મિક સ્થળો, કોર્પોરેટ કચેરીઓ, લગ્નોત્સવો, અંતિમવિધિ, ખુલ્લી જગ્યાઓ વગેરેને પુનઃ ખોલવા પર છૂટછાટ યથાવત રહેશે.
