અધિકમાસમાં અરવલ્લી પર્વતમાળામાં આવેલ માં ભદ્રકાળી મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ
Live TV
-
માનપુરમાં આવેલા ભદ્રકાળી માતાના પ્રાચીન મંદિરે ભક્તોએ શીશ ઝુકાવી લીધા આશીર્વાદ
હાલ અધિક માસ ચાલી રહ્યો છે. ત્યારે શ્રધ્ધાળુઓ દ્વારા વિશેષ દાન-પુણ્ય , કથા શ્રવણ , તેમજ મંદિરોમાં દર્શન વગેરે કરવામાં આવે છે. અંબાજી નજીક અરવલલી પર્વત માળાના માનપુરમાં આવેલા , ભદ્રકાળી માતાના પ્રાચીન મંદિરે, ભક્તોની ભીડ જોવા મળી રહી છે. માનવામાં આવે છે , કે આ મંદિરે અઘોરી બાવાઓએ , અનેક વખત જપ-તપ કરી , પોતાની સાધના સિધ્ધ કરી છે. આજે પણ ભક્તો , સાચી શ્રધ્ધાથી માતાના મંદિરે આવી શીશ નમાવે છે , અને તેમની મનોકામના પૂર્ણ થતી હોવાનું જણાવે છે.