દીવના વણાક બારામાં ખૂબ ધામધૂમથી ઉજવાયો ગણ ગૌર ઉત્સવ
Live TV
-
વણાક બારામાં કુળદેવીને પાલખીમાં બેસાડી મહાકાલેશ્વર મંદિરેથી શોભા યાત્રા યોજવામાં આવી હતી
દીવના વણાક બારામાં ગણ ગૌર ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો. ગ્રામજનો શ્રદ્ધાપૂર્વક આ ઉત્સવમાં જોડાયા હતા. વણાક બારામાં કુળદેવીને પાલખીમાં બેસાડી મહાકાલેશ્વર મંદિરેથી શોભા યાત્રા યોજવામાં આવી હતી. શોભાયાત્રામાં મેળા જેવો માહોલ જામ્યો હતો. વેરાવળ, સૂત્રાપાડા, ધામળેજ, પોરબંદર, મુંબઈ, ઓખા-દ્વારકા, જાફરાબાદ વગેરેના કોળી સમાજના લોકોએ પરિવાર સાથે શોભાયાત્રામાં ભાગ લીધો હતો. શોભાયાત્રામાં ભજન-કિર્તન અને રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. માતાજીની પૂજા અર્ચના બાદ અલગ અલગ કુવામાં વિર્સજન કરવામાં આવ્યું હતુ. વણાંકબારાના આ ગણ-ગોર ઉત્સવમાં બાર ગામના સમસ્ત કોળી સમાજના લોકો તેમજ અગ્રણીઓએ દર્શનનો લાભ લીધો હતો