વડનગરમાં તાના રી રી સમાધી સ્થળે 17 અને 18 નવેમ્બરે મહોત્સવ ઉજવાશે
Live TV
-
તાના-રીરી મહોત્સવ દર વર્ષે કારતક સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે તાના રી રી સમાધી સ્થળે 17 અને 18 નવેમ્બરે મહોત્સવની ઉજવણી કરાશે. તાના-રીરી મહોત્સવ દર વર્ષે કારતક સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે. આ મહોત્સવમાં 17 નવેમ્બરે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ, જ્યારે 18 નવેમ્બરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજર રહેશે. વર્ષ 2010થી તાના રીરી સંગીત સન્માન એવોર્ડ આપવાની શરૂઆત તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. આ એવોર્ડમાં રૂપિયા પાંચ લાખની રકમ, તામ્રપત્ર અને શાલ એનાયત કરાય છે. 19મીએ એમ્ફી થિયેટર વડનગર ખાતે મહારાણા પ્રતાપ દ્વારા કરેલ હલ્દીઘાટ યુદ્ધની શૌર્યગાથાની યુદ્ધગાથાઓ ઈડી સ્ક્રીન ઉપર રજૂ કરાશે.