CM રૂપાણી દ્વારા કરુણા અભિયાનની શરૂઆત, રમણલાલ પાટકરે સંબોધી પરિષદ
Live TV
-
નર્મદા હોલ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા વનરાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું કે ગુજરાતમાં મકરસંક્રાંતિના પર્વનો આનંદ માણશે. સાથે જ તેના કારણે પક્ષીઓ ઘાયલ થાય છે. ત્યારે આ પક્ષીઓ માટે કરૂણા અભિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવી છે.
જે અંતર્ગત સરકાર દ્વારા કરૂણા એમ્બ્યુલન્સ સેવા પણ કાર્યરત રહેશે. આ ઉપરાંત ઇમરજન્સી સેવા પણ કાર્યરત રહેશે. તેમજ આ માટે તાલુકા કક્ષાએ સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવશે. આ અનુસંધાને 33 જિલ્લા કલેક્ટરો સાથે બેઠક યોજવામાં આવી. અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.