ક્રિકેટ વિશ્વકપની ટીમમાં કેદાર જાધવનું સ્થાન યથાવત
Live TV
-
IPL દરમિયાન ખભાની ઈજા થઇ હતી
IPL દરમિયાન ખભાની ઈજા પામેલા કેદાર જાધવ વર્લ્ડકપમાં રમશે કે નહીં તે અંગેના શંકાના વાદળ હટી ગયા છે. ટીમના ફીજિયો પેટ્રીક ફરારે કેદાર જાદવને ફીટ જાહેર કર્યા છે અને તેઓ ભારતીય ટીમ સાથે વિશ્વકપ રમવા ઈંગ્લેન્ડ જવા રવાના થશે. જાધવને IPLમાં ચેન્નાઈ સુપરકિંગ્સ તરફથી કિંગ્સ ઈલેવન પંજાબ સામે રમતા ઈજા થઈ હતી. જાધવ ટીમ ઈન્ડિયા માટે મહત્વનો ખેલાડી છે. તે મીડલ ઓર્ડર બેટ્સમેનની સાથે મીડલ ઓવર્સમાં મહત્વનો સ્પેલ નાખે છે. જાધવે 68 વન-ડે મેચમાં એક હજાર એકસો 74 રન બનાવ્યા છે જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 102 પોઈન્ટ 53 રહ્યો છે.