Skip to main content
Settings Settings for Dark

Live TV

X

12,328 કરોડ રૂપિયાના ચાર મુખ્ય રેલ્વે પ્રોજેક્ટ્સને મંત્રીમંડળે મંજૂરી આપી,5 રાજ્યોમાં કનેક્ટિવિટીને વેગ મળશે

 આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય કનેક્ટિવિટી, માલ પરિવહન અને પ્રાદેશિક વિકાસને મજબૂત બનાવવાનો છે. આમાં ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં નવી દેશલપર-હાજીપીર-લુના અને વાયોર-લખપત રેલ લાઇનનો સમાવેશ થાય છે, જેનો ખર્ચ 2,526 કરોડ રૂપિયા થશે. તે 145 રૂટ કિમી અને 164 ટ્રેક કિમી લાંબી હશે અને ત્રણ વર્ષમાં પૂર્ણ થશે. આ લાઇન મીઠું, સિમેન્ટ, કોલસો, ક્લિંકર અને બેન્ટોનાઇટના પરિવહનને સરળ બનાવશે અને કચ્છના રણ, ધોળાવીરા, કોટેશ્વર મંદિર, નારાયણ સરોવર અને લખપત કિલ્લા સુધી પ્રવાસનને પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત,13 નવા સ્ટેશનો બનાવવામાં આવશે અને 866 ગામોના લગભગ 16 લાખ લોકોને લાભ થશે.

Gujarati

પ્રસાદ વિતરણ માટે ભવ્ય તૈયારીઓનો પ્રારંભ: 30 લાખથી વધુ પ્રસાદ પેકેટ માટે 750થી વધુ કારીગરો કાર્યરત

પદયાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર  આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના નેતૃત્વમાં જિલ્લા કક્ષાની કુલ 29 સમિતિઓ બનાવવામાં આવી છે.

આજરોજ અંબાજી ખાતે કલેક્ટર મિહિર પટેલ દ્વારા  આદ્યશક્તિની આરાધના કરી પ્રસાદ ઘરનો શુભારંભ કરાવ્યો હતો. પ્રસાદ ઘરની સ્વચ્છતા તથા સલામતી સહિત સુચારુ આયોજન સંદર્ભે કલેકટર દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરાયા હતા. પ્રસાદ વ્યવસ્થા સમિતિ માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની નોડલ તરીકે નિમણૂક કરાઈ છે. જેમાં મોહનથાળ, ચિક્કીની પ્રસાદનું યોગ્ય રીતે સુપરવિઝન અને વિતરણની વ્યવસ્થા કરાશે. 

Gujarati

કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2030 માટે બિડ રજૂ કરવાને કેબિનેટે આપી મંજૂરી

તેણે સંબંધિત મંત્રાલયો, વિભાગો અને સત્તાવાળાઓ તરફથી જરૂરી ગેરંટી સાથે યજમાન સહયોગ કરાર (HCA) પર હસ્તાક્ષર કરવા અને બિડ સ્વીકારાય તો ગુજરાત સરકારને જરૂરી ગ્રાન્ટ-ઇન-એઇડ મંજૂર કરવાની મંજૂરી પણ આપી હતી.

કોમનવેલ્થ ગેમ્સમાં 72 દેશોના ખેલાડીઓ ભાગ લેશે. તેમાં રમતો દરમિયાન ભારતની મુલાકાત લેનારા રમતવીરો, કોચ, ટેકનિકલ અધિકારીઓ, પ્રવાસીઓ, મીડિયા કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ભાગ લેવાનો પણ સમાવેશ થશે, જેનાથી સ્થાનિક વ્યવસાયોને ફાયદો થશે અને આવક થશે.

Gujarati

વૈષ્ણો દેવી ભૂસ્ખલન પર PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, સહાયનું આપ્યું આશ્વાસન

મંગળવારે ભારે વરસાદ વચ્ચે શ્રી માતા વૈષ્ણો દેવી યાત્રા માર્ગ પર અર્ધકુવારી નજીક પહાડી પરથી પથ્થરો અને કાટમાળ પડવાથી આ ઘટના બની હતી. આ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે હાલમાં શ્રી માતા વૈષ્ણો દેવીની યાત્રા રોકી દેવામાં આવી છે.

Gujarati

વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સીસ ગુજરાતના હરિત ઊર્જાના નેતૃત્વને ઉજાગર કરશે

આ કોન્ફરન્સીસ રાજ્યની ગ્રીન એનર્જી પહેલો જેવી કે, મોટા પાયાના રિન્યુએબલ એનર્જી પાર્ક્સ, ઓફશોર વિંડ પ્રોજેક્ટ્સ, વિતરિત સૌર ઊર્જાની પહેલો, તેમજ ઊર્જા જરૂરિયાતો અને ક્લાઇમેટ સંબંધિત પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે વિકસિત કરવામાં આવી રહેલા આધુનિક ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઉજાગર કરશે. 

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત 29 ઓગસ્ટ શુક્રવારે યોજાશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિને આ રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઓગસ્ટ 2025નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 29  ઓગસ્ટને શુક્રવારે યોજાવાનો છે.

નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો  શુક્રવાર ,તા. 29 ઓગસ્ટ ના રોજ સવારે 8-00 થી  11-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. 

Gujarati

સંસ્કૃતિ અને સુવિધાનો સંગમ: બુલેટ ટ્રેન સ્ટેશનો મુસાફરીનો અનુભવ બદલશે

સાબરમતી, અમદાવાદ, આનંદ, વડોદરા, ભરુચ, સુરત, બિલિમોરા અને વાપી ખાતેના સ્ટેશનોના સ્ટ્રક્ચરલ કામ પૂર્ણ થઈ ચૂક્યાં છે, અને હાલ આંતરિક સજાવટ, છાપરા અને સ્ટેશન સુવિધાઓ જેવી ફિનિશિંગ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જ્યારે આ સ્ટેશનો પૂર્ણ થશે, ત્યારે તે માત્ર ટ્રેનમાં ચડવા-ઉતરવાના સ્થળ નહીં રહે, પરંતુ વિશ્વસ્તરીય પ્રવાસ, આરામ અને સુવિધાના પ્રતીક બની જશે.

Gujarati

સચિવાલય- ગાંધીનગર ખાતે રૂ. 48 લાખના ખર્ચે નવીનીકરણ કરાયેલી “કુંજવાટિકા”નું લોકાર્પણ 

આ “કુંજવાટિકા”નું રૂ. 48 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, "કુંજવાટિકા"માં નાના ભુલકાઓને પ્રેમ, સંસ્કાર, વાત્સલ્ય સાથે પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. આ શિશુ સંભાળ કેન્દ્રથી સચિવાલયમાં કામ કરતી મહિલાઓ પોતાના કામ અને બાળક બંનેને યોગ્ય ન્યાય આપી શકશે.

Gujarati

જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા સંત સરોવર બેરેજની લીધી પ્રત્યક્ષ મુલાકાત

મંત્રી કુંવરજીએ આ મુલાકાત દરમિયાન ગાંધીનગર મહાનગરપાલિકા સહિત સંબંધિત અધિકારીઓને નીચાણવાળા વિસ્તારમાં આવેલા શહેરો-ગામોનો સંપર્ક કરી તેમને સતર્ક કરવા જરૂરી સૂચનાઓ આપી હતી.ઉલ્લેખનીય છે કે, ધરોઇ બંધના ઉપરવાસમાં સાબરકાંઠા જિલ્લાના વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકાઓ તેમજ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં 100 થી 300 મીમી સુધીનો વરસાદ થતાં ધરોઈ બંધમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના પગલે ધરોઇ બંધમાંથી તા.23 ઓગસ્ટ-2025 થી ક્રમશ: પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.

Gujarati

ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન-ગાધીનગર ખાતે ગણેશજીની માટીની મૂર્તિઓ બનાવવા આર્ટિસ્ટની ઉપસ્થિતિમાં ‘ઇકો ઍક્ટિવિટિ’વર્કશોપનું આયોજન

આ વર્ષે દેશભરમાં તા. 27 ઓગસ્ટથી ગણેશ ચતુર્થી મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. ગણેશજીની મૂર્તિઓ ક્યારેક પીઓપી, અન્ય સિન્થેટિક મટિરિલય અને કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હોય છે. આવી મૂર્તિઓનું જ્યારે પાણીમાં વિસર્જન કરવામાં આવે છે ત્યારે તે ખૂબ જ નુકશાન કરે છે. જેથી બાપ્પાની માટીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ લાવવાનો સંદેશ આપવા તેમજ નાગરિકોને બાપ્પાની માટીની મૂર્તિઓ ઘરે જ જાતે બનાવવા પ્રેરણા આપવા વન વિભાગ અંતર્ગત ‘ગીર’ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા ઈકો ઍક્ટિવિટિના ભાગ રૂપે એક નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply