12,328 કરોડ રૂપિયાના ચાર મુખ્ય રેલ્વે પ્રોજેક્ટ્સને મંત્રીમંડળે મંજૂરી આપી,5 રાજ્યોમાં કનેક્ટિવિટીને વેગ મળશે
આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય કનેક્ટિવિટી, માલ પરિવહન અને પ્રાદેશિક વિકાસને મજબૂત બનાવવાનો છે. આમાં ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં નવી દેશલપર-હાજીપીર-લુના અને વાયોર-લખપત રેલ લાઇનનો સમાવેશ થાય છે, જેનો ખર્ચ 2,526 કરોડ રૂપિયા થશે. તે 145 રૂટ કિમી અને 164 ટ્રેક કિમી લાંબી હશે અને ત્રણ વર્ષમાં પૂર્ણ થશે. આ લાઇન મીઠું, સિમેન્ટ, કોલસો, ક્લિંકર અને બેન્ટોનાઇટના પરિવહનને સરળ બનાવશે અને કચ્છના રણ, ધોળાવીરા, કોટેશ્વર મંદિર, નારાયણ સરોવર અને લખપત કિલ્લા સુધી પ્રવાસનને પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત,13 નવા સ્ટેશનો બનાવવામાં આવશે અને 866 ગામોના લગભગ 16 લાખ લોકોને લાભ થશે.