ભારતીય વાયુસેનાની 93મી વર્ષગાંઠની ગાંધીનગરમાં ગરિમામય ઉજવણી
મુખ્યમંત્રીએ વાયુસેના પરિવારને 93 મી વર્ષગાંઠની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ હંમેશા દેશનું ગૌરવ વધાર્યું છે.તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય વાયુ સેનાનો પાછલો એક દાયકો 'સ્વર્ણિમ દાયકો' બન્યો છે. મુખ્યમંત્રીએ ઓપરેશન સિંદૂર થકી વાયુસેનાએ જે અપ્રતિમ સાહસ અને પરાક્રમનો પરિચય આપ્યો છે, તેના પર દરેક ભારતીય ગર્વ લઈ શકે તેમ જણાવ્યું હતું. તેમણે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ સફળતાપૂર્વક અંતરિક્ષ મિશન પૂર્ણ કરીને જે કીર્તિમાન સ્થાપ્યો છે, તેને આ વર્ષગાંઠની વિશેષ ગૌરવ અપાવનારી ઘટના ગણાવી હતી.