અનંત યાત્રાએ નીકળ્યા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી
ભારત રત્ન અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીના પાર્થિવ દેહને રાજધાની દિલ્હી ખાતે સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા. લોધી રોડ ખાતેના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર આપવામાં આવતાં તેમનો દેહ પંચ મહાભૂતમાં વિલીન થઇ ગયો હતો. સરકારે પૂર્વ રાષ્ટ્રપતિના માનમાં દેશમાં સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. આ પહેલાં પૂર્વ રાષ્ટ્રપતિના રાજાજી માર્ગ પરના સરકારી નિવાસે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ.