ધીકતી કારકિર્દી છોડી ગામડાના ઉદ્ધારમાં લાગ્યા આ અભિનેતા
19 વર્ષની ઉજ્જવળ ટીવી કારકિર્દી છોડીને કોઈ વ્યક્તિ પોતાના ગામના ઉદ્ધારમાં લાગી જાય તો? 'સ્વદેશ' ફિલ્મ જેવી વાર્તા લાગે ને? પરંતુ આ સત્ય છે. અભિનેતા રાજેશ કુમાર જે 'બા, બહુ ઔર બેબી', 'સારાભાઈ વર્સિસ સારાભાઈ', 'કૉમેડી સર્કસ', 'ભૂતવાલા સિરિયલ', 'મિસીસ એન્ડ મિ. શર્મા અલાહાબાદ વાલે', જેવી સિરિયલોથી જાણીતા છે, તેમણે પોતાની 19 વર્ષની ઉજ્જવળ ટીવી કારકિર્દી છોડી દીધી છે. કારણ?