રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પંજાબ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના દિક્ષાંત સમારોહમાં રહ્યાં ઉપસ્થિત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી પંજાબ અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢની બે દિવસની મુલાકાતે છે.
રાષ્ટ્રપતિ મુર્મૂએ પંજાબની કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના દિક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી.
સમારોહના સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિએ દીકરીઓનો ઉચ્ચ અભ્યાસ ખૂબ જરૂરી છે તેમ જણાવ્યું હતું અને કહ્યું હતું કે, વિકસિત ભારતના નિર્માણના સ્વપ્નને દીકરીઓ સુંદર સ્વરૂપ પ્રદાન કરશે.