Skip to main content
Settings Settings for Dark

Live TV

X

જમ્મુ અને કાશ્મીરના લિડવાસ વિસ્તારમાં 'ઓપરેશન મહાદેવ' હેઠળ સુરક્ષા દળોને મોટી સફળતા મળી,ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા

સેનાના જવાનોએ 'ઓપરેશન મહાદેવ' હેઠળ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટર લિડવાસમાં થયું હતું, જ્યાં સેનાએ આતંકવાદીઓને ઘેરી લીધા હતા અને તેમને ઠાર માર્યા હતા.સેનાના ચિનાર કોર્પ્સે તેના X હેન્ડલ પર ઓપરેશન અંગે માહિતી શેર કરી હતી. એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, ઓપરેશન મહાદેવ: લિડવાસ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત થયો છે અને ઓપરેશન ચાલુ છે. આના થોડા સમય પછી, બીજી પોસ્ટમાં, ચિનાર કોર્પ્સે કહ્યું કે એન્કાઉન્ટર દરમિયાન ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે અને ઓપરેશન હજુ પણ ચાલુ છે.

Gujarati

પીએમ જનમન હેઠળ ગુજરાતમાં પીએમ આવાસ-ગ્રામીણ યોજના અંતર્ગત 12,489 આવાસોને આપી મંજૂરી

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ (PVTGs) એટલે કે ખાસ નબળા આદિજાતિ જૂથોની ખૂટતી જરૂરિયાતો અને સુવિધાઓની પૂર્તિ કરીને તેમના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલી કરવામાં આવેલ પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) મિશનના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં જુલાઈ 2025 માટે ટોચનું રાજ્ય બન્યું છે. પીએમ જનમન યોજનાના અમલીકરણ માટે દર મહિને સ્ટેટ રેંકિંગ જાહેર કરવામાં આવે છે, જેમાં જુલાઈ મહિનામાં ગુજરાત પ્રથમ સ્થાન પર છે. આ દર્શાવે છે કે આદિજાતિના વિકાસ અને કલ્યાણ માટે રાજ્ય સરકાર મજબૂત પ્રયાસો કરી રહી છે. 

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોગો માટેની રાષ્ટ્રીય સ્પર્ધામાં નામાંકનનો કરાવ્યો ઈ-પ્રારંભ

ગુજરાતના 75 વર્ષની આ ભવ્ય યાત્રાના પ્રતીકરૂપે સર્જનાત્મક અને અર્થપૂર્ણ ‘લોગો’ મંગાવી, તેને રાજ્યના આર્થિક નેતૃત્વ, ટેક્નોલોજીકલ પ્રગતિ, સાંસ્કૃતિક પ્રભુતા અને લોક કેન્દ્રિત શાસનને ઉજાગર કરવાનો શુભ આશય આ સ્પર્ધામાં રહેલો છે.

Gujarati

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાનો પાંચ દિવસીય જન્માષ્ટમી લોકમેળો યોજાશે

જે અન્વયે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તા.13/08/2025 થી તા.17/08/2025 સુધી સુરેન્દ્રનગર શહેરનો લોકમેળો “એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ”ના મેદાનમાં જ્યારે વઢવાણનો લોકમેળો  “વઢવાણ મેળાના મેદાન” ખાતે યોજાશે.

Gujarati

ભાનુબેન બાબરીયાએ થ્રી વ્હીલર યોજનાના લાભાર્થીઓની કોમ્પ્યુટરાઇઝ ડ્રોથી કરી પસંદગી

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે આ યોજનાના લાભાર્થીઓની ગાંધીનગર ખાતેથી કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલા લાભાર્થીઓને નજીવા દરે ધિરાણ આપવામાં આવશે.આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સમાજના તમામ વર્ગોની ખાસ કરીને અનુસૂચિત જાતિના નાગરિકોના સશક્તિકરણ અને તેમને સમાન તક આપવા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. આજે રાજ્યના 665 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ માટે રૂ  7.32 કરોડથી વધુ ધિરાણ આપવા માટે પસંદગી કરાઈ છે.

Gujarati

રાજ્યની કુલ 556 ITIમાં 2.17 લાખ કરતાં વધુ બેઠકો પર વ્યવસાયિક તાલીમ સુવિધા ઉપલબ્ધ

આ રોજગારલક્ષી અભિયાનને વધુ બળ આપવા રાજ્યમાં 288 સરકારી, 100 ગ્રાન્ટ-ઇન-એઇડ અને 168 સ્વનિર્ભર સંસ્થાઓ મળી કુલ 556 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-આઈ.ટી.આઈ. કાર્યરત છે. આ ITIમાં અંદાજે 2.17 લાખ કરતાં વધુ બેઠકો પર વિવિધ વ્યવસાયિક તાલીમ સુવિધા આપવામાં આવે છે. આ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે 79 રાષ્ટ્રીય કક્ષાના અને 53 રાજ્ય કક્ષાના એમ કુલ  132 અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. જેમાં વર્તમાન જરૂરિયાત મુજબના IOT, ડ્રોન પાઈલોટ, સોલર ટેક્નિશિયન સહિતના એન્જિનિયરિંગ-નોન એન્જિનિયરિંગ અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. 

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવના કર્યા દર્શન

મુખ્યમંત્રીએ ભગવાન ભોળાનાથના  દર્શન પૂજન કરીને સૌ નાગરિકોની શાંતિ, સુખાકારી અને રાજ્યની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.તેમણે ધોળેશ્વર મહાદેવના મહંત રામસ્વરૂપ પુરીજી સાથે મંદિર પરિસરમાં મુલાકાત કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા અને દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું.ગાંધીનગરના મેયર મીરાં બહેન પટેલે પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati

ભારત હેપેટાઇટિસ સામે મજબૂતાઈથી આગળ વધી રહ્યું: કેન્દ્રીય આરોગ્ય મંત્રી

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાએ સોમવારે વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે મહત્ત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત આ ખતરનાક રોગ સામે મજબૂતીથી આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચલાવવામાં આવી રહેલા રાષ્ટ્રીય વાયરલ હેપેટાઇટિસ નિયંત્રણ કાર્યક્રમ દ્વારા, દેશભરમાં જીવન બચાવવા અને આ રોગને નાબૂદ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દિવસ લોકોમાં હેપેટાઇટિસ અને તેના નિવારક પગલાં વિશે જાગૃતિ ફેલાવવાની એક શ્રેષ્ઠ તક છે.

Gujarati

શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભકતોની ભીડ: સોમનાથમાં નીકળી પાલખીયાત્રા

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ ખાતે શિવભક્તો મોટી સંખ્યામાં પહોંચ્યા છે. મંદિરના પટ્ટાંગણમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓએ લાંબી કતારો લગાવી હતી અને મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. ભાવિકોની ભીડને ધ્યાને લઈ સોમનાથ ટ્રસ્ટ અને સુરક્ષા વિભાગ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તો સાથે ભાવિકોને કોઈ સમસ્યા ન ઉભી થાય તેના માટે બેરીકેટ બનાવાયા છે ભાવિકો પણ સોમનાથ ટ્રસ્ટની વ્યવસ્થાને લઈ સંતુષ્ટ જોવા મળી રહ્યાં છે.

સોમનાથમાં વિશેષ પાલખીયાત્રાનું આયોજન

Gujarati

અમેરિકા અને યુરોપિય સંઘ વચ્ચે ટેરિફ પર બની સહમતિ, વેપાર યુદ્ધ ટળ્યું

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યૂરોપિય સંઘ વચ્ચે મોટી અને ઐતિહાસિક વેપાર સમજૂતી થઈ છે. આ સમજૂતીને ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધીનો સૌથી મોટો વેપાર કરાર ગણાવ્યો છે. જે બંને પક્ષો માટે મહત્ત્વનો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, સમજૂતી અંતર્ગત EU 600 અરબ ડોલરનું રોકાણ કરશે અને તમામ દેશોના વેપાર બજાર ખૂલી જશે તેમજ યૂરોપિય સંઘ ઉપર તમામ ક્ષેત્રમાં 15 ટકા ટેરિફ લગાવવામાં આવશે અને EU અમેરિકા પાસેથી શસ્ત્રોની ખરીદી પણ વધારશે. 

કરાર વિશે બંને પ્રમુખોએ શું કહ્યું ?

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
apply