PM મોદીએ મ્યાનમારના વરિષ્ઠ જનરલ સાથે કરી વાત, જાણો શું વાતચીત થઈ
પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર, સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક પોસ્ટમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "મ્યાનમારના વરિષ્ઠ જનરલ મહામહિમ મીન આંગ હ્લેઇંગ સાથે વાત કરી. વિનાશક ભૂકંપમાં થયેલા મૃત્યુ પર મારી ઊંડી સંવેદના વ્યક્ત કરી. એક નજીકના મિત્ર અને પાડોશી તરીકે, ભારત આ મુશ્કેલ સમયમાં મ્યાનમારના લોકો સાથે ઉભું છે. ઓપરેશન બ્રહ્મા હેઠળ આપત્તિ રાહત સામગ્રી, માનવતાવાદી સહાય, શોધ અને બચાવ ટીમો ઝડપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી રહી છે."