જગ્ન્નાથ પ્રભુની રથયાત્રાની તડામાર તૈયારીઓ સાથે પોલીસ બેડાનો ધમધમાટ
અમદાવાદમાં આગામી 27મી જૂનના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાશે. આ રથયાત્રા માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે જગન્નાથ મંદિરની મુલાકાત લઈ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. કોઈ પણ પ્રકારની સુરક્ષામાં ચૂક રહે નહીં તે પ્રકારની શહેર પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે, તો તારીખ 24 અને 25 જૂનના રોજ સવારે 6 વાગ્યે મુખ્ય રિહર્સલ કરવામાં આવશે.