FATFએ પહેલગામ આતંકી હુમલાની કડક નિંદા કરી, કહ્યું: ભંડોળ વિના શક્ય નથી
વિશ્વમાં આતંકવાદને નાણાકીય સહાય પૂરી પાડનારાઓ પર નજર રાખતી સંસ્થા FATF (ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ)એ 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે. આ હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. FATFએ કહ્યું છે કે, જ્યાં સુધી આતંકવાદીઓ પાસે પૈસા અને ભંડોળ ટ્રાન્સફર કરવાના સાધનો ન હોય ત્યાં સુધી આવા હુમલા શક્ય નથી.