જસ્ટિસ બી.આર.ગવઈ ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે
જસ્ટિસ બી.આર. ગવઈ ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેશે. આ પદ પર પહોંચનારા તેઓ પ્રથમ બૌદ્ધ ન્યાયાધીશ હશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમને શપથ લેવડાવશે. તેઓ વર્તમાન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ હવે પૂરો થઈ રહ્યો છે. ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૨૪(૨) હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા આ નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી, જેના પગલે કાયદા અને ન્યાય મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. જસ્ટિસ ગવઈને 24 મે 2019 ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે.