અમદાવાદ: ભારતીય સેનાના સન્માનમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હાજરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગા યાત્રાને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું, "ઓપરેશન સિંદૂર એ ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને બહાદુરીનું પ્રતીક છે, અને સ્થાનિક રહેવાસીઓ સાથે તેની ઉજવણી કરવા માટે મારા વિધાનસભા મતવિસ્તાર ઘાટલોડિયામાં આયોજિત તિરંગા યાત્રામાં ભાગ લેવાની તક મળી, જે દેશભક્તિની ચેતના જગાડવાની એક શ્રેષ્ઠ તક હતી."બીજી પોસ્ટમાં તેમણે લખ્યું, “આ યાત્રામાં લપકામણ, લીલાપુર, ખોડિયાર અને આસપાસના ગામોના સેંકડો યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.