અમદાવાદના ગુરુકુળ રોડમાં પૂર્વી ટાવરના ફ્લેટમાં આગનો બનાવ ,આ આગના બનાવમાં કોઇ જાનહાનીનો બનાવ બન્યો નથી
ગુરુકુળ રોડ પર સુભાષચોક પાસે આવેલા પૂર્વી ટાવરના 8માં માળે એક ફ્લેટમાં આગનો બનાવ બન્યો હતો. એસીમાં કોઇ ખામી સર્જાયા બાદ આગ લાગી હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે . સ્થાનિકોમાં થોડો સમય અફરા-તફરી મચી ગઇ હતી.આગના બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ બનાવ સ્થળે પહોંચ્યા છે. પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાઈ હતી.