ઉધમપુર એરબેઝને તબાહ કરવાનો પાકિસ્તાનનો દાવો 'ફેક'
ભારતે પાકિસ્તાનના વધુ એક દાવાનો પર્દાફાશ કર્યો. દુશ્મન દેશની ફેક ન્યૂઝ ફેક્ટરીએ એવા સમાચાર બતાવ્યા જે સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા નીકળ્યા. ભારતે તથ્ય તપાસ કરીને તેનો પર્દાફાશ કર્યો.
પાકિસ્તાનના 'AIK ન્યૂઝે' લાઈવ પ્રસારણમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાને ઉધમપુર એરબેઝનો નાશ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો, જે ફેક્ટ ચેકમાં ખોટો હોવાનું જાણવા મળ્યું. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ આ દાવાને સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક ગણાવ્યો.