પુરુષોત્તમ માસ અને અગિયારસના પવિત્ર અવસરે દ્વારકામાં ભાવિકોનું ઘોડાપૂર: ગોમતી સ્નાન અને દર્શનનો લાભ લીધો
વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર ગોમતી નદીના ઘાટ પર સ્નાન કરવા માટે ઉમટી પડ્યા હતા. સ્નાન બાદ ભાવિકોએ કાળિયા ઠાકોરના દર્શનનો લ્હાવો લેવા માટે મંદિર પરિસરમાં લાંબી કતારો લગાવી હતી.આજે જગત મંદિરમાં સાંજે 'રૂક્ષ્મણી વિવાહ મનોરથ'ના વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ પ્રસંગના દર્શન કરવા અને પૂજા-અર્ચનાનો લાભ લેવા માટે સવારથી જ દ્વારકા નગરીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દૂર-દૂરથી આવેલા ભાવિકોએ મંદિર પરિસરમાં હકડેઠઠ ભીડ વચ્ચે પણ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.