રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો વોરાકોટડા પાસે 40 ગામના ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ
આ સાથે રાજ્યપાલએ 'ઝેરમુક્ત ભારત: ગાય, ગામ, કૃષિ યાત્રા' - ગોંડલથી સોમનાથ સુધીની પદયાત્રાને પણ પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતી છોડી દેવાથી ઉત્પાદન ઘટશે તેવો ભય ખેડૂતોમાં છે, પરંતુ મારા સહિત અનેક ખેડૂતોના અનુભવો છે કે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઘટતું નથી પરંતુ ગુણવત્તાયુક્ત થાય છે અને વધે છે. વળી, પ્રાકૃતિક કૃષિમાં ખર્ચ પણ સાવ નહિવત હોય છે.