મેદસ્વિતા મુક્ત ગુજરાતઃ નવા વર્ષની શરૂઆત સાથે સ્વસ્થ જીવનનો સંકલ્પ કરી મેદસ્વીતાને માત આપીએ
આજના ઝડપી જીવનપ્રવાહ અને ફાસ્ટફૂડના જમાનામાં મેદસ્વિતા એક ગંભીર આરોગ્ય સમસ્યા તરીકે ઊભરી આવી છે, જે વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે સમગ્ર સમાજ માટે ચિંતાજનક બાબત છે.મેદસ્વિતા માત્ર દેખાવ સુધી સીમિત નથી, પરંતુ તે ડાયાબિટીસ, હૃદયરોગ, હાઇ બ્લડ પ્રેશર, સાંધાના દુખાવા સહિત અનેક ગંભીર બીમારીઓનું મૂળ કારણ છે. અનિયમિત જીવનશૈલી, શારીરિક નિષ્ક્રિયતા, અયોગ્ય આહાર અને તણાવયુક્ત જીવન મેદસ્વિતા વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આવા સંજોગોમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવી આજના સમયની આવશ્યકતા બની ગઈ છે.