પોષ સુદ પૂનમને લઈને યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી
વહેલી સવારથી દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે અરવલ્લી જિલ્લાના ગિરિમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના દર્શન કરવા માટે ભક્તો પહોંચ્યા હતા.પૂનમને લઈને યાત્રાધામ શામળાજી ખાતે વિરાજમાન ભગવાન શામળિયાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.. ભગવાનને સોના તેમજ હીરા જડિત આભૂષણોથી સજ્જ કરવામાં આવ્યા હતા.