માનવાધિકાર દિવસ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ NHRC કાર્યક્રમની કરશે અધ્યક્ષતા
રાષ્ટ્રપતિ મુર્મૂ 'બધા માટે ગરિમા' (Dignity for All) પર પોતાના વિચારો રજૂ કરશે.તેઓ બધા માટે પાયાની સુવિધાઓ, ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને ગરિમા સુનિશ્ચિત કરવા માટે જવાબદાર શાસન અને કાર્યક્ષમ જાહેર સેવા વિતરણ પર ભાર મૂકશે.NHRC ના અધ્યક્ષ વી. રામાસુબ્રમણ્યમ અને પ્રધાનમંત્રીના પ્રધાન સચિવ પી. કે. મિશ્રા પણ કાર્યક્રમમાં હાજર રહેશે.