પ્રધાનમંત્રી મોદીએ ઇઝરાયલના પીએમ નેતન્યાહૂ સાથે ફોન પર કરી વાત
બંને નેતાઓએ આતંકવાદની સખત નિંદા કરી અને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદ પ્રત્યે તેમની શૂન્ય-સહિષ્ણુતા નીતિનો પુનરોચ્ચાર કર્યો. તેમણે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર પણ ચર્ચા કરી.પ્રધાનમંત્રી મોદીએ ગાઝા શાંતિ યોજનાના વહેલા અમલીકરણ સહિત પ્રદેશમાં ન્યાયી અને સ્થાયી શાંતિ માટેના પ્રયાસો માટે ભારતના સમર્થનને પુનરોચ્ચાર કર્યો. બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા.