વિશ્વામિત્રી નદીના આશરે 1.7 કિલોમીટર લાંબા માર્ગ માટે બુલેટ ટ્રેનના થાંભલા ગોળ આકારના બનાવવામાં આવ્યા
નદી તેની પ્રવાહની દિશામાં વળાંકવાળાં પ્રવાહના લક્ષણોને લીધે વિશિષ્ટ છે. ઉનાળામાં સામાન્ય રીતે જળપ્રવાહ 10 થી 20 મીટર જેટલો હોય છે, જ્યારે ચોમાસામાં મુખ્ય પ્રવાહના બંને તરફના તટની ઓછી ઊંચાઈને કારણે નદી કેટલીક જગ્યાએ 100 મીટરથી પણ વધુ પહોળી થાય છે. વિશ્વામિત્રી નદીના આશરે 1.7 કિલોમીટર લાંબા માર્ગ માટે બુલેટ ટ્રેનના થાંભલા ગોળ આકારના બનાવવામાં આવ્યા છે (કુલ 46 થાંભલા) જેથી નદી ફૂલીને થાંભલા સુધી આવતી હોય ત્યારે પણ જળપ્રવાહ વિહિત રહે અને અવરોધ ન થાય. આ થાંભલાઓનો વ્યાસ 4 થી 5 મીટર સુધીનો છે અને બનેલા કોઈપણ થાંભલા નદીના જળપ્રવાહમાં કોઇપણ પ્રકારનો અવરોધ ઊભો કરતાં નથી.