2,000થી વધુના UPI વ્યવહારો પર GST લાદવાની કોઈ યોજના નથી: કેન્દ્રની સ્પષ્ટતા
કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય દ્વારા UPI અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. નાણાં મંત્રાલયનું કહેવું છે કે, "સરકાર 2,000 રૂપિયાથી વધુના UPI વ્યવહારો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાદવાની કોઈપણ યોજના પર વિચાર કરી રહી નથી. આ દાવો સંપૂર્ણપણે ખોટો, ભ્રામક અને પાયાવિહોણો છે. હાલમાં, સરકાર પાસે આવો કોઈ પ્રસ્તાવ નથી."