લાલ કિલ્લા બ્લાસ્ટ કેસ: સ્થળની નજીકના અનેક બજારો બંધ,શોધવામાં આવી રહ્યા છે પુરાવા
તેમનું કહેવું છે કે વિસ્ફોટને કારણે ઘણા કણો તેમની દુકાનો પર અને તેની આસપાસ પડ્યા હતા. આ કણો પોલીસ તપાસમાં મહત્વપૂર્ણ હોઈ શકે છે. પોલીસ અને તપાસ એજન્સીઓ તેમને એકત્રિત કરી રહી છે. આ કારણે બજારો બંધ કરવામાં આવ્યા છે.
ચાંદની ચોકનું મુખ્ય બજાર રાબેતા મુજબ ખુલ્લું છે અને શાળાઓ પણ ખુલ્લી છે.
આ દરમિયાન, લાલ કિલ્લાને પણ હાલ પૂરતું પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. ચાંદની ચોકનું મુખ્ય બજાર રાબેતા મુજબ ખુલ્લું છે અને શાળાઓ પણ ખુલ્લી છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પર કામગીરી સામાન્ય છે. લાલ કિલ્લા મેટ્રોનો ગેટ નંબર 2 અને બીજો ગેટ મુસાફરો માટે ખુલ્લો છે.