Skip to main content
Settings Settings for Dark

Live TV

X

પ્રધાનમંત્રી મોદીએ ભારત રત્ન લાલ કૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું, "લાલ કૃષ્ણ અડવાણીને તેમના જન્મદિવસ પર હાર્દિક શુભકામનાઓ. મહાન દ્રષ્ટિ  ધરાવતા રાજકારણી, અડવાણીનું જીવન ભારતની પ્રગતિને મજબૂત બનાવવા માટે સમર્પિત રહ્યું છે. તેમણે હંમેશા નિઃસ્વાર્થ ફરજ અને મજબૂત સિદ્ધાંતોની ભાવનાને મૂર્તિમંત કરી છે. તેમના યોગદાનથી ભારતના લોકશાહી અને સાંસ્કૃતિક પરિદૃશ્ય પર અમીટ છાપ પડી છે. ભગવાન તેમને સારા સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય આપે."

Gujarati

ટ્રમ્પે દક્ષિણ આફ્રિકામાં G-20 સમિટનો બહિષ્કાર કરવાની કરી જાહેરાત

સોશિયલ મીડિયા પોસ્ટમાં, ટ્રમ્પે લખ્યું કે દક્ષિણ આફ્રિકામાં G-20 સમિટનું આયોજન "શરમજનક" છે. તેમણે કહ્યું કે ઘણા આફ્રિકનો, જે ડચ, ફ્રેન્ચ અને જર્મન વંશના છે, હિંસાનો ભોગ બની રહ્યા છે અને તેમની જમીન અને ખેતરોમાંથી બળજબરીથી છીનવી લેવામાં આવી રહ્યા છે.ટ્રમ્પે કહ્યું કે જ્યાં સુધી આ પરિસ્થિતિ ચાલુ રહેશે ત્યાં સુધી કોઈ પણ અમેરિકન અધિકારી G-20 માં હાજરી આપશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે તેઓ ફ્લોરિડાના મિયામીમાં 2026 ની G-20 સમિટ યોજવાની આશા રાખે છે.

Gujarati

થિમ્પુ મહોત્સવમાં વિશ્વ કલ્યાણ માટે બુદ્ધના પવિત્ર અવશેષો ભૂટાન લઈ જવામાં આવશે

આ પ્રદર્શન થિમ્પુમાં યોજાતા વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવ (GPPF)નો એક ભાગ છે, જે વિશ્વ શાંતિ અને માનવતાના કલ્યાણ માટે પ્રાર્થના કરવા માટે એક મુખ્ય કાર્યક્રમ છે. આ ઉત્સવ ભૂટાનના ચોથા રાજા, વિશ્વના એકમાત્ર વજ્રયાન રાજ્ય, જીગ્મે સિંગ્યે વાંગચુકની 70મી જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવી રહ્યો છે.પવિત્ર અવશેષ વહન કરનાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમાર કરશે અને તેમની સાથે વરિષ્ઠ ભારતીય સાધુઓ અને અધિકારીઓનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે.

આ પવિત્ર અવશેષો બીજી વખત ભૂટાન લાવવામાં આવી રહ્યા છે.

Gujarati

કાશીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત

પ્રધાનમંત્રી રોડ માર્ગે BLW ખાતે ગેસ્ટ હાઉસ જવા રવાના થયા. તેમનો કાફલો બાબતપુરથી હરહુઆ, ગિલ્ટ બજાર, જેપી મહેતા અને ફુલવારિયા ફ્લાયઓવર થઈને બારેકા ગયો. રસ્તામાં, સ્થાનિક લોકો, પક્ષના કાર્યકરો અને અધિકારીઓ દ્વારા અનેક સ્થળોએ તેમનું સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગતથી અભિભૂત થઈને, પ્રધાનમંત્રી મોદીએ તેમના વાહનમાંથી ભીડ તરફ હાથ લહેરાવ્યો.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે 10,000 કરોડના રાહત-સહાય પેકેજની કરી જાહેરાત

 મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કુદરતી આપત્તિની આ ઘડીમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઊભી છે. તેમણે અને તેમના સાથી મંત્રીઓએ વિવિધ જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સ્થિતિ જાણી હતી.રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા નીચે મુજબના પગલાં લેવામાં આવ્યા છે:

Gujarati

અમદાવાદ મંડળ પર રાષ્ટ્રગીત "વંદે માતરમ" ના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સ્મરણ ઉત્સવ કાર્યક્રમનું આયોજન

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે 150 વર્ષ નું પ્રતીક,સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ પ્રકાશિત કર્યા હતા. આ કાર્યક્રમ 7 નવેમ્બર 2025 થી 7 નવેમ્બર 2026 સુધી ચાર તબક્કામાં ચાલનારા રાષ્ટ્રવ્યાપી સ્મરણોત્સવના ઔપચારિક પ્રારંભનું પ્રતિક છે. જે આ અમર રચના, જેણે ભારતના સ્વતંત્રતા આંદોલનને પ્રેરણા આપી હતી અને આજે પણ રાષ્ટ્રીય ગૌરવ તથા એકતાની ભાવનાને મજબૂત બનાવે છે. 

Gujarati

અબ્રાહમ કરાર હેઠળ કઝાકિસ્તાન અને ઇઝરાયલ વચ્ચે નવા સંબંધો માટેની તૈયારીઓ

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર આ જાહેરાત કરતા લખ્યું, "મેં ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ ટોકાયેવ સાથે અદ્ભુત વાતચીત કરી. મારા બીજા કાર્યકાળ દરમિયાન કઝાકિસ્તાન અબ્રાહમ કરારમાં જોડાનાર પહેલો દેશ છે."

અમેરિકન રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું કે આ વિશ્વભરમાં પુલ બનાવવા તરફ એક મોટું પગલું છે.

Gujarati

ભારતના ચૂંટણી પંચના નિયામક અને સચિવએ ગુજરાતમાં ચાલી રહેલા SIRની કરી સમીક્ષા

આ બેઠકમાં SIR પ્રક્રિયાની પ્રગતિની વિગતો આપતાં મુખ્ય નિર્વાચન અધિકારી હારિત શુક્લાએ જણાવ્યું હતું કે,27 ઓક્ટોબર 2025ની સ્થિતિએ ગુજરાતમાં 5,08,43,436 મતદારો નોંધાયેલા હતા, જે તમામને એન્યુમરેશન ફોર્મ એટલે કે ગણતરી પત્રકો પ્રિન્ટ કરીને આપવામાં આવશે. અત્યાર સુધીમાં 5,03,83,022 મતદારોના ગણતરી ફોર્મ પ્રિન્ટ કરી દેવામાં આવ્યા છે, બાકી રહેલા ફોર્મ્સના પ્રિન્ટીંગનું કામ હાલ પ્રગતિમાં છે. પ્રિન્ટ થયેલા ગણતરી ફોર્મ પૈકી 1,01,04,584 ફોર્મ મતદારો સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીના મતદારો સુધી આ ફોર્મ્સ સત્વરે પહોંચાડી દેવામાં આવશે.

Gujarati

મુખ્યમંત્રીએ માઁ અંબાનું પૂજન-અર્ચન કરી રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે કરી પ્રાર્થના

મુખ્યમંત્રી ભગવાન બિરસા મુંડાજીની 150 મી જન્મ જયંતિ અંતગર્ત ઉજવાઈ રહેલી જનજાતિય ગૌરવ યાત્રાનો આરંભ કરાવવા અંબાજી પહોંચ્યા હતા અને  યાત્રા પૂર્વે તેમણે અંબાજી મંદિર ખાતે ભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યા હતા.વિધાન સભા અધ્યક્ષ  શંકર ચૌધરી અને રાજ્ય મંત્રી પ્રવીણ ભાઈ માળી તથા અગ્રણીઓ અને અધિકારીઓ પણ આ અવસરે જોડાયા હતા.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીથી 'જનજાતિય ગૌરવ યાત્રા'ને કરાવ્યું પ્રસ્થાન

7થી13 નવેમ્બર, 2025.કુલ અંતર: 1378 કિ.મી. (બે રૂટ).રૂટ નં-1: ઉમરગામથી એકતાનગર (665 કિમી).રૂટ નં-2: અંબાજીથી એકતાનગર (713 કિમી).રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાનો અને આદિવાસીઓના ઐતિહાસિક યોગદાનથી આજની પેઢીને પ્રેરણા આપવાનો.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
apply