Skip to main content
Settings Settings for Dark

Live TV

X

તિબેટમાં ભૂકંપનો જોરદાર આંચકો, રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતા

તિબેટમાં મધ્યરાત્રિના સમય પછી ભારતીય સમય અનુસાર 2:41 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ તિબેટ ક્ષેત્રમાં નોંધાયું હતું. જોકે, હજુ સુધી કોઈ જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. માહિતી આપતાં, NCSએ કહ્યું હતું કે તેઓ આ વિસ્તારમાં થતી ભૂસ્તરશાસ્ત્રીય હિલચાલ પર સતત નજર રાખી રહ્યા છે. આ દરમિયાન, વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો સતર્ક છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

ભૂકંપ શા માટે આવે છે ?

Gujarati

હવામાન વિભાગની આગાહી મુજબ જામનગરમાં વાતાવરણમાં પલટો

હવામાન વિભાગની આગાહી મુજબ જામનગરમાં વાતાવરણમાં પલટોજોવા મળ્યો છે.જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો.ચેલા, ચંગા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો.. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો હતો .. વરસાદના કારણે ખેડૂતો ચિંતિત થયા છે.

Gujarati

પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યનું ૯૪ વર્ષની જૈફ વયે નિધન

આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યનું ૯૪ વર્ષની  વયે નિધન થયું છે.થોડા દિવસથી હેમાબેન આચાર્યનું નાદુરસ્ત તબિયતને લઈને સારવાર હેઠળ હતા.સાંજે ૪ વાગ્યે તેમના નિવાસસ્થાનથી અંતિમયાત્રા નીકળશે.

Gujarati

દેશમાં માતૃ મૃત્યુ દર પ્રતિ લાખ જન્મમાં ૧૩૦ થી ઘટીને ૯૩ થયો છે: કેન્દ્ર સરકાર

ભારતમાં, ટકાઉ વિકાસ લક્ષ્યાંકો 2030 પ્રાપ્ત કરવા તરફ માતૃત્વ અને શિશુ મૃત્યુ દરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. માતૃત્વ મૃત્યુ દર (MMR) માં નોંધપાત્ર ઘટાડો થયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૨૦૧૪-૧૬માં પ્રતિ લાખ જન્મ દીઠ ૧૩૦ થી ૩૭ પોઈન્ટ ઘટીને ૨૦૧૯-૨૧માં ૯૩ થઈ ગયું છે. તે જ સમયે, શિશુ મૃત્યુ દર 2014 માં પ્રતિ 1000 જન્મ દીઠ 39 થી ઘટીને 2021 માં પ્રતિ 1000 જન્મ દીઠ 27 થયો છે. નવજાત મૃત્યુ દર 2014 માં પ્રતિ 1,000 જન્મ દીઠ 26 થી ઘટીને 2021 માં પ્રતિ 1,000 જન્મ દીઠ 19 થયો છે.

Gujarati

સંરક્ષણ મંત્રાલયે પાકિસ્તાનના ખોટા દાવાઓને સખત રીતે નકાર્યા

ઓપરેશન સિંદૂર પર પત્રકાર પરિષદમાં ભારતીય સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓએ દેશને પરિસ્થિતિ વિશે માહિતી આપી. તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી અને પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવી રહેલા ખોટા દાવાઓને સખત રીતે નકાર્યા હતા. આ પરિષદનું નેતૃત્વ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની સાથે નૌકાદળના કોમોડોર રઘુ આર. પણ હતા. નાયરની સાથે આર્મી તરફથી કર્નલ સોફિયા કુરેશી અને એરફોર્સ તરફથી વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પણ હતા. તમામ અધિકારીઓએ ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની બદલાની કાર્યવાહી અને પાકિસ્તાનના ખોટા પ્રચારનું તથ્યપૂર્ણ ખંડન રજૂ કર્યું.

Gujarati

ભારત-પાકિસ્તાન 'સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ' માટે સંમત થયા

ભારતે પોતાની શરતો પર યુદ્ધવિરામની જાહેરાત કરીઃ વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ સ્થાપિત થઈ ગયો છે. બંને દેશો વચ્ચે સાંજે 5 વાગ્યાથી યુદ્ધવિરામ લાગુ થઈ ગયો. પાકિસ્તાનના DGMOએ આજે બપોરે ફોન પર વાત કરી હતી. ભારતે પોતાની શરતો પર યુદ્ધવિરામનું પાલન કર્યું છે અને બંને દેશોના ડીજીએમઓ 12 મેના રોજ ફરી વાત કરશેઃ વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિક્રમ મિસરી

Gujarati

કચ્છમાં સાયરન વગાડી હાઈ એલર્ટ કરાયું જાહેર

પાકિસ્તાન દ્વારા હવે કચ્છ જિલ્લાના ભુજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. જેમાં ભુજ-ખાવડા હાઇવે પર આવેલ એરફોર્સના એરબેઝ પાસે વહેલી સવારે ડ્રોન એટેક થયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સુરક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અને ચેમ્બર ઓફ કોમર્સના વેપારી મંડળ દ્વારા શહેરની બજારો બંધ કરી દેવામાં આવી છે અને લોકોને એલર્ટ રહેવાની સુચના આપવામાં આવી છે.

આજે જિલ્લા કલેક્ટર દ્વારા સાંસદ ધારાસભ્યો તથા ચેમ્બર ઓફ કોમર્સના વેપારી મંડળના એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી થોડા દિવસો સુધી માર્કેટ તથા બજારો બંધ રાખવી અને બ્લેકઆઉટનું ચુસ્તપણે પાલન કરવું. 

Gujarati

ઉધમપુર એરબેઝને તબાહ કરવાનો પાકિસ્તાનનો દાવો 'ફેક'

ભારતે પાકિસ્તાનના વધુ એક દાવાનો પર્દાફાશ કર્યો. દુશ્મન દેશની ફેક ન્યૂઝ ફેક્ટરીએ એવા સમાચાર બતાવ્યા જે સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા નીકળ્યા. ભારતે તથ્ય તપાસ કરીને તેનો પર્દાફાશ કર્યો.

પાકિસ્તાનના 'AIK ન્યૂઝે' લાઈવ પ્રસારણમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાને ઉધમપુર એરબેઝનો નાશ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો, જે ફેક્ટ ચેકમાં ખોટો હોવાનું જાણવા મળ્યું. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ આ દાવાને સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક ગણાવ્યો. 

Gujarati

મીડિયા ચેનલોએ તેમના કાર્યક્રમોમાં સાયરનનો અવાજ વાપરવો નહીં: ગૃહ મંત્રાલય

સરકારે તમામ મીડિયા ચેનલોને એક સૂચના આપી છે કે સામુદાયિક જાગૃતિ અભિયાન સિવાય તેમના કાર્યક્રમોમાં નાગરિક સંરક્ષણ હવાઈ હુમલાના સાયરનના અવાજનો ઉપયોગ કરવો નહીં.

ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, સાયરનના નિયમિત ઉપયોગથી નાગરિકો હવાઈ હુમલાના સાયરન પ્રત્યે અસંવેદનશીલ બની શકે છે અને વાસ્તવિક હવાઈ હુમલા દરમિયાન તેને સામાન્ય ઘટના માની શકે છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply