Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ભારત-EU FTA નિકાસ અને નવીનતાને નવી ગતિ આપશે, IT સહિત અનેક ક્ષેત્રોમાં તકો ખોલશે: વીર સાગર

વીર સાગરે કહ્યું કે આ કરારની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે ભારત અને EU હવે સમાન ધોરણે સાથે મળીને કામ કરશે. આ સોદો IT ક્ષેત્રના દૃષ્ટિકોણથી ખાસ મહત્વપૂર્ણ છે. હવે, ભારત હવે માનવશક્તિ અથવા પુરવઠો પૂરો પાડવા પૂરતું મર્યાદિત રહેશે નહીં, પરંતુ નવીનતા, ડિઝાઇન, વિકાસ, ઓટોમેશન અને AI જેવા ક્ષેત્રોમાં યુરોપિયન ભાગીદારો સાથે નજીકથી કામ કરશે.

Gujarati

લેહમાં ઉડ્ડયન માળખાને મજબૂત બનાવવામાં આવ્યું, આપત્તિ રાહત અને સુરક્ષા ક્ષમતાઓમાં વધારો થયો

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અપગ્રેડેડ રનવે અને એરપોર્ટ સુવિધાઓ નાગરિક ઉડ્ડયન સુવિધાઓમાં વધારો કરશે. સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે જાહેરાત કરી હતી કે એરફોર્સ સ્ટેશન લેહ ખાતે નાગરિક ઉડ્ડયન માળખાના વિકાસના હેતુથી એક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પડકારજનક ઊંચાઈવાળા ભૂપ્રદેશ અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ હોવા છતાં, માળખાને રેકોર્ડ સમયમાં અપગ્રેડ કરવામાં આવ્યું છે.

Gujarati

કાશ્મીર ખીણમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે, 1 ફેબ્રુઆરીથી વરસાદની આગાહી

જમ્મુ વિભાગમાં, જમ્મુ શહેરમાં 7.2 ડિગ્રી સેલ્સિયસ, કટરા 6.4  બટોટ 0.9, બનિહાલ માઈનસ 2.6અને ભદરવાહ માઈનસ 3.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. દરમિયાન, હવામાન વિભાગે આગામી દિવસોમાં પ્રદેશના ઊંચા વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાથી હવામાનમાં ફેરફાર થઈ શકે છે, જેનાથી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન દ્વારકાધીશના દર્શન અર્ચન કરીને રાજ્યના સર્વાંગી કલ્યાણની કરી પ્રાર્થના

મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓનું અભિવાદન ઝીલ્યું હતું અને સૌને જય દ્વારકાધીશ  પાઠવ્યા હતા.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીને ઉપરણું, દ્વારકા મંદિરની પ્રતિકૃતિ, ફુલ અને તુલસીમાંથી નિર્મિત અનુગ્રહમ અગરબતી તથા પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. દ્વારકાધીશ મંદિર ખાતે મુખ્યમંત્રી સાથે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય  મુળુ બેરા, જિલ્લા કલેકટર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, અગ્રણી  મયુર ગઢવી સહિત સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Gujarati

સ્માર્ટ સિટી સુરતનું સ્માર્ટ મોડેલ: હવે ‘ડાયમંડ સિટી’ બનશે ‘ઝીરો વેસ્ટ સિટી

સુરત હવે માત્ર ‘ડાયમંડ સિટી’ તરીકે નહીં, પણ ‘ઝીરો વેસ્ટ સિટી’ તરફ આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા 'અર્બન ડેવલપમેન્ટ વર્ષ' - શહેરી વિકાસ વર્ષની ઉજવણીના અવસરે સુરત મહાનગરપાલિકાએ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે 'ગ્રીન ગ્રોથ'ને પણ પ્રાથમિકતા આપી છે.વિકાસની હરણફાળ ભરી રહેલું સુરત શહેર હવે પર્યાવરણની જાળવણીમાં પણ દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. મહાનગરપાલિકાએ આગામી બે વર્ષમાં શહેરમાંથી નીકળતા ઘન બાંધકામ કચરા (C&D Waste)ના 100 ટકા રિસાયકલિંગનું લક્ષ્ય રાખ્યું છે.

Gujarati

રાષ્ટ્ર નિર્માણ માટે NCC એક મજબૂત પાયો: પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી મોદીએ કાર્યક્રમમાં હાજર રહેલા તમામ NCC કેડેટ્સ અને અધિકારીઓને અભિનંદન આપ્યા. તેમણે મિત્ર દેશોના કેડેટ્સનું પણ સ્વાગત કર્યું અને તેમની ભાગીદારીને NCCની વૈશ્વિક માન્યતાનું પ્રતીક ગણાવ્યું.

મહિલા કેડેટ્સની ભાગીદારીને પ્રેરણાદાયી ગણાવી

પ્રધાનમંત્રી મોદીએ નોંધ્યું કે આ વર્ષે રેલીમાં મોટી સંખ્યામાં મહિલા કેડેટ્સે ભાગ લીધો હતો. તેમણે ખાસ કરીને મહિલા કેડેટ્સને અભિનંદન આપતા કહ્યું કે NCC એક સંગઠન અને ચળવળ છે જે ભારતના યુવાનોને આત્મવિશ્વાસ, શિસ્તબદ્ધ, સંવેદનશીલ અને સમર્પિત નાગરિકોમાં વિકસિત કરે છે.

Gujarati

આદ્યશક્તિના ધામ અંબાજીમાં '51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026: ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ રચાશે

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વર્ષ 2008માં ગબ્બર પર્વત પર 51 શક્તિપીઠ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ ફેબ્રુઆરી 2014માં થયું હતું. અંદાજે રૂ. 61.57 કરોડના ખર્ચે નિર્મિત આ પરિક્રમા માર્ગમાં ભારત સહિત પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, તિબેટ અને બાંગ્લાદેશમાં સ્થિત મૂળ શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી શ્રદ્ધાળુઓ એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠોના દર્શનનો લ્હાવો લઈ શકે.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 68 કરોડના ખર્ચે નવીનીકરણ પામેલા નરસિંહ મહેતા સરોવરનું કર્યું લોકાર્પણ

મુખ્યમંત્રીએ આ અવસરે ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમા તથા શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી તથા દેશના શહીદો-વીરો પ્રત્યે ભાવવંદના વ્યક્ત કરી હતી.મુખ્યમંત્રીએ બ્યુટીફિકેશનના પ્રવાસનલક્ષી મહત્વના પ્રોજેક્ટના લોકાર્પણ બાદ આ રમણીય સરોવર ખાતે વિકસાવવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.મુખ્યમંત્રીએ સરોવરના લોકાર્પણની સાથોસાથ અંદાજે ₹26 કરોડના ખર્ચે રાજ્ય સરકારની યોજના અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાના 9 આધુનિક ફાયર વાહનોનું પણ લોકાર્પણ કરી ફ્લેગ-ઑફ દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું.

Gujarati

અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે 'વિકાસદીપ' યોજના અંતર્ગત બંદીવાનોના તેજસ્વી સંતાનોનું બહુમાન

આ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના અધ્યક્ષ સ્થાને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થયેલા બંદીવાનોના સંતાનોને રોકડ ઈનામ અને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન મુખ્યત્વે બે બંદીવાનના દીકરાઓ એવા તેજસ્વી યુવાનોની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. અમદાવાદ મધ્યસ્થ જેલના બંદીવાન રાજેન્દ્રસિંહ જટુભા જાડેજાના પુત્ર, જેમણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ-2024 ની પ્રક્રિયા પૂર્ણ કરી 'અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ' તરીકે પસંદગી મેળવી છે.

Gujarati

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી

તા.28 જાન્યુઆરીના રોજ મુંબઈ સ્થિત લોકભવનમાં આયોજિત શોકસભા દરમિયાન માનનીય રાજ્યપાલએ બે મિનિટનું મૌન પાળી દિવંગત  અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે લોકભવનના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply