અમદાવાદ મંડળને મળી પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસની ભેટ
આ ટ્રેન અમદાવાદથી ઉપડનારી પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ હશે, જે ગુજરાત અને બિહાર વચ્ચેના રેલ જોડાણને વધુ મજબૂત બનાવશે. આ ટ્રેનનું નિયમિતીકરણ મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. આ નિર્ણય વિવિધ ઝોન વચ્ચે વધુ સારો સમન્વય સ્થાપિત કરીને લાંબા અંતરની મુસાફરીને વધુ સરળ, સુવ્યવસ્થિત અને વિશ્વસનીય બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે. ટ્રેન નંબર 21905 અમદાવાદ–પટણા અમૃત ભારત એક્સપ્રેસ દર બુધવારે સાંજે 18:30 વાગ્યે અમદાવાદથી પ્રસ્થાન કરી શુક્રવારે 00:30 વાગ્યે પટણા પહોંચશે.