ગુજરાત લોકભવનમાં આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાનો ત્રીજો દિવસ
કથાના પ્રારંભમાં આચાર્યએ જણાવ્યું કે, મુનિ વિશ્વામિત્રના સિદ્ધ આશ્રમમાં શ્રીરામે અદભૂત પરાક્રમ દાખવીને રાક્ષસોનો સંહાર કર્યો. મારીચને પરાજિત કરી અને સુબાહુનો વધ કરીને તેમણે યજ્ઞની રક્ષા કરી. આચાર્યએ અહલ્યા ઉદ્ધારનો પ્રસંગ વર્ણવતા કહ્યું કે, શ્રીરામના સાનિધ્યથી અહલ્યાનું જીવન ધન્ય થઈ ગયું. કથાના મુખ્ય આકર્ષણ સમાન શ્રીરામ-જાનકી વિવાહનો પ્રસંગ વર્ણવતા તેમણે જણાવ્યું કે, રાજા જનકની શરત પૂર્ણ કરીને શ્રીરામે જ્યારે શિવધનુષ પર પ્રત્યંચા ચઢાવીને ખેંચી, ત્યારે શિવધનુષ તેમના બાહુબળ સામે તૂટી ગયું.