IGNOU એ તેના 39મા દીક્ષાંત સમારોહમાં 3.24 લાખ વિદ્યાર્થીઓને કરી ડિગ્રી એનાયત
IGNOU પ્રાદેશિક કેન્દ્ર, અમદાવાદ દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે પણ તેનો 39મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. પ્રાદેશિક કેન્દ્ર, અમદાવાદના ડિરેક્ટર ડૉ. જયેશ પટેલે મહેમાનો, મહાનુભાવો અને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું અને IGNOU પ્રાદેશિક કેન્દ્રના કાર્ય વિશે સમજાવ્યું. તેમણે સમજાવ્યું કે 39મા દીક્ષાંત સમારોહ દરમિયાન દેશમાં 3.24 લાખ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ પ્રાદેશિક કેન્દ્ર ખાતે 2,208 અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ, ડિપ્લોમા અને પીજી ડિપ્લોમા ડિગ્રીનો સમાવેશ થાય છે, અને બે મહિલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.