Skip to main content
Settings Settings for Dark

Live TV

X

મેઘમહેર: પંચમહાલ જિલ્લામાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ, ઘોઘંબા અને જાંબુઘોડામાં બે ઇંચ

ખાસ કરીને ઘોઘંબા પંથકના પૂર્વ વિસ્તારમાં રાત્રિ દરમિયાન શરૂ થયેલું મેઘરાજાનું અવિરત આગમન વહેલી સવાર સુધી જારી રહ્યું હતું. ઘોઘંબા અને જાંબુઘોડા પંથકમાં બે-બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

Gujarati

અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો

અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો અરવલ્લી જિલ્લાના ધનસુરામાં 2  ઇંચ અને ભિલોડામાં 3 ઇંચ  અને બાયડ માં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો ધોધમાર વરસાદ વરસાના કારણે નીચાણવાળા વિસ્તારો અને રોડ ઉપર પાણી ભરાયા હતા રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને રાત્રે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Gujarati

ભારત-યુકે વેપાર કરાર 15 જુલાઈથી અમલમાં આવશે, જેનાથી ભારતીય નિકાસકારો અને વ્યાવસાયિકોને થશે મોટો ફાયદો

વાણિજ્ય મંત્રાલય અનુસાર, DCC હેઠળ મુક્તિનો સમયગાળો ત્રણ વર્ષથી વધારીને પાંચ વર્ષ કરવામાં આવ્યો છે. યુકેમાં કામચલાઉ રીતે કામ કરતા ભારતીય કર્મચારીઓ માટે આ એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ X પર લખ્યું હતું કે, "આ ભારત-યુકે સંબંધો માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે. મને આનંદ છે કે ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર 15 જુલાઈ, 2026 ના રોજ અમલમાં આવશે. આ કરાર બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણને નોંધપાત્ર રીતે વેગ આપશે."

Gujarati

ભારતીયો ખૂબ જ પ્રતિભાશાળી છે, અમેરિકામાં કુશળ લોકો માટે તકો છે: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારતીય કુશળ વ્યાવસાયિકોને તેમના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સમાં તકો મળતી રહેશે, ત્યારે ટ્રમ્પે સકારાત્મક જવાબ આપ્યો. તેમણે કહ્યું, "રોજગારની દ્રષ્ટિએ ભારત સાથે અમારા હંમેશા ખૂબ સારા સંબંધો રહ્યા છે." તેમણે ભારતીય વ્યાવસાયિકોની પ્રશંસા કરી, તેમને ખૂબ જ પ્રતિભાશાળી લોકો ગણાવ્યા.ટ્રમ્પના આ નિવેદનો પર ભારતમાં ખાસ ધ્યાન આપવામાં આવશે, કારણ કે ભારત એવા દેશોમાંનો એક છે જે મોટી સંખ્યામાં કુશળ કામદારો, એન્જિનિયરો, ટેકનોલોજી નિષ્ણાતો, સંશોધકો અને વિદ્યાર્થીઓને યુનાઇટેડ સ્ટેટ્સમાં મોકલે છે.

Gujarati

પ્રધાનમંત્રી મોદી ફ્રાન્સના એવિયનમાં આયોજિત G7 સમિટ દરમિયાન જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથે મળ્યા

નેતાઓએ ભારત અને જર્મની વચ્ચે ચાલી રહેલા સહયોગની પ્રગતિની સમીક્ષા કરી અને ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીને નવી ગતિ મળી છે તે અંગે સંતોષ વ્યક્ત કર્યો.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં, પીએમ મોદીએ જણાવ્યું હતું કે, "જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથેની વાતચીત ખૂબ જ સકારાત્મક અને ઉત્પાદક રહી. અમે ચર્ચા કરી હતી કે વેપાર, રોકાણ, પરિપત્ર અર્થતંત્ર, સંરક્ષણ, IT અને અન્ય ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરીને આપણે આપણા દ્વિપક્ષીય સહયોગને કેવી રીતે વધુ મજબૂત બનાવી શકીએ છીએ. અમે એ પણ વાત કરી કે આપણા બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને કેવી રીતે વધુ ઉન્નત અને મજબૂત બનાવી શકાય છે."

Gujarati

G-7 સમિટમાં પ્રધાનમંત્રી મોદી યુરોપિયન નેતાઓને મળ્યા; ભારત-EU સંબંધો અને FTA પર મુખ્ય ચર્ચાઓ થઈ

નેતાઓએ આ વર્ષની શરૂઆતમાં ભારતમાં યોજાયેલી 16મી ભારત-EU સમિટને યાદ કરી અને બંને પક્ષો વચ્ચેના સંબંધોમાં થયેલી નોંધપાત્ર પ્રગતિનું સ્વાગત કર્યું.વિદેશ મંત્રી એસ. જયશંકર, વિદેશ સચિવ વિક્રમ મિશ્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને અન્ય અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા.

Gujarati

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દ્વારા પાલનપુર-સામાખ્યાલી સેક્શનનું વાર્ષિક નિરીક્ષણ: સુરક્ષા અને યાત્રી સુવિધાઓની સમીક્ષા

આ નિરીક્ષણનો મુખ્ય હેતુ રેલવે સંચાલનમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યોની પ્રગતિ તપાસવાનો અને યાત્રી સુવિધાઓની સમીક્ષા કરવાનો હતો. આ પ્રવાસ દરમિયાન તેમની સાથે અમદાવાદના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati

જૂનાગઢમાં : નવીનીકરણ બાદ અઢી વર્ષમાં 17.50 લાખ પ્રવાસીઓએ નિહાળ્યો ઐતિહાસિક ઉપરકોટ કિલ્લો

કિલ્લાના બદલાયેલા રંગ-રૂપના કારણે છેલ્લા આશરે અઢી વર્ષના ટૂંકા ગાળામાં જ 17.50 લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ આ ભવ્ય વારસાની મુલાકાત લઈ ચૂક્યા છે.ઇતિહાસવિદોના જણાવ્યા અનુસાર, ઈસવીસન પૂર્વે બીજી-ત્રીજી સદીમાં આ કિલ્લાનું નિર્માણ મૌર્ય શાસકો દ્વારા કરવામાં આવ્યું હતું. સમય જતાં વલ્લભીના મૈત્રકો, ચુડાસમા તથા રા' વંશ, મહંમદ બેગડો અને અંતમાં બાબી વંશના શાસકોએ અહીંથી પોતાનો વહીવટ ચલાવ્યો હતો. 62 એકરમાં ફેલાયેલા આ કિલ્લામાં સ્થાપત્ય અને ઇજનેરી કૌશલ્યના અદભુત નમૂનાઓ આવેલા છે.આ સ્થાપત્યો કોઈ ઈંટ-પથ્થર જોડીને નહીં, પરંતુ એક જ વિશાળ નક્કર ખડકને ઉપરથી નીચે તરફ કોતરીને બનાવવામાં આવ્યા છે.

Gujarati

માનવ કલ્યાણ યોજના’ માટે આજથી “ઈ-કુટીર પોર્ટલ” ખુલ્લું મૂકાયું

ગાંધીનગર ખાતેથી કુટીર ઉદ્યોગ મંત્રી નરેશ પટેલના વરદ હસ્તે તેમજ કુટીર ઉદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરની પ્રેરક ઉપસ્થિતિમાં આ પોર્ટલ વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.આ પ્રસંગે કુટીર ઉદ્યોગ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, ગુજરાત સરકાર દ્વારા “માનવ કલ્યાણ યોજના”ને સંપૂર્ણપણે ડિજિટલ પ્લેટફોર્મ પર અમલી બનાવવામાં આવી છે. આ નવી વ્યવસ્થા હેઠળ લાભાર્થીઓની પસંદગી ઓનલાઇન ડ્રો દ્વારા પારદર્શક રીતે કરવામાં આવશે. અરજદારો આ યોજના હેઠળ જુદા-જુદા 10 ટ્રેડ માટે ઓનલાઇન અરજી કરી શકશે.

Gujarati

ગાંધીનગર જિલ્લાના વલાદ, સોજા, કડજોદરા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ

જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના વલાદ, સોજા, કડજોદરા અને પાનસર ગામો ખાતે ભવ્ય 'જનકલ્યાણ શિબિર'નું આયોજન કરવામાં આવ્યું હતું.આ શિબિરમાં સ્થાનિક ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી અને સ્થળ પર જ પ્રક્રિયા હાથ ધરી લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ તેમજ અન્ય યોજનાઓના લાભોનું સીધું વિતરણ કરવામાં આવ્યું હતું.શિબિર દરમિયાન મુખ્યત્વે આરોગ્ય, ઉર્જા, પંચાયત, ગ્રામ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ વિકાસ તેમજ શિક્ષણ વિભાગ અંતર્ગતની આયુષ્માન ભારત યોજના, આયુષ્માન વયવંદના યોજના, નમો યોજના, પી.એમ.જે.એ.વાય. મા, પી.એમ.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
apply