રાજ્યના ગામડાઓ ઈકોનોમી હબ બનશે ત્યારે જ પ્રધાનમંત્રીનું વિકસિત ભારત 2047નું વિઝન સાકાર થશે
આ બેઠકમાં મંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ(PMAY-G), સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ(SBM-G), મહાત્મા ગાંધી નરેગા(MGNREGA) અંતર્ગત કરવામાં આવતી વિવિધ કામગીરીની વિસ્તૃત માહિતી મેળવી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત@2047ના વિઝન પર ભાર મુકતાં ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના ગામડાઓ ઈકોનોમી હબ બનશે ત્યારે જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે. જેથી ગામોને શહેર જેવા વિકસિત બનાવવા “Innovative of life” સુનિશ્ચિત કરવી ખૂબ જરૂરી છે.