ઊર્જાની ખપત વચ્ચે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા હાંસલ કરવા માટે આપણે સૌ પ્રતિબદ્ધ બનીએ તે આજના સમયની જરૂરીયાત
ભારતમાં ભવિષ્યમાં ઊર્જાની ખપતની સંભાવના જોતા નાગરિકોએ સૌર ઊર્જા માટેની ક્ષમતાને વિસ્તારવાની જરૂર છે. બિન-અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતોમાંથી મહત્તમ વીજળી ઉત્પાદન મેળવવા ગરીબ-મધ્યમવર્ગીય પરિવારો સૌર ઉર્જા અપનાવી અને તેમના કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં સહભાગી બની શકે છે. આ માટે રૂફટોપ સોલર સિસ્ટમને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસો પણ નિર્ણાયક બની રહ્યા છે. હાલમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી સૂર્યઘર –મફત વીજળી યોજના હેઠળ આપવામાં આવતી સબસીડી અને લોનની ઉપલબ્ધતાથી નાગરિકો આસાનીથી વીજ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બની શકે છે.