દેશભરમાં વસ્તીગણતરી 2027માં 30 લાખથી વધુ ગણતરીકારો, સુપરવાઈઝર અને અન્ય અધિકારીઓ સામેલ થશે
આંદામાન અને નિકોબાર ટાપુઓ, NDMC અને દિલ્હી કેન્ટોનમેન્ટ બોર્ડ, ગોવા, કર્ણાટક, લક્ષદ્વીપ, મિઝોરમ, ઓડિશા અને સિક્કિમમાં 1લી થી 15મી એપ્રિલ દરમિયાન સ્વ-ગણતરી અને 16મી એપ્રિલ થી 15મી મે 2026 દરમિયાન હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ હાથ ધરવામાં આવશે.ભારતની વસ્તીગણતરી, વસ્તીગણતરી અધિનિયમ, 1948 અને વસ્તીગણતરી નિયમો, 1990 ની જોગવાઈઓ હેઠળ હાથ ધરવામાં આવે છે, જેમાં સમયાંતરે સુધારા કરવામાં આવ્યા છે. ભારતની છેલ્લી વસ્તીગણતરી 2011માં હાથ ધરવામાં આવી હતી. વસ્તીગણતરી 2027 શ્રેણીમાં 16મી અને આઝાદી પછીની 8મી હશે.