Skip to main content
Settings Settings for Dark

Live TV

X

પ્રધાનમંત્રી મોદી 12 જાન્યુઆરીએ અમદાવાદમાં મળશે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝને

પ્રધાનમંત્રી કાર્યાલયે શુક્રવારે એક નિવેદનમાં આ જાહેરાત કરી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નિર્ધારિત કાર્યક્રમ મુજબ, પ્રધાનમંત્રી મોદી અને ચાન્સેલર મેર્ઝ 12 જાન્યુઆરીએ સવારે 9:30 વાગ્યે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે.બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે.આ પછી, સવારે 10 વાગ્યે, બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે. ત્યારબાદ સવારે 11:15 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દ્વિપક્ષીય વાટાઘાટો થશે.

Gujarati

ગાંધીનગર-સ્પીપા ખાતે ‘અટલ સ્મૃતિ વ્યાખ્યાન’શ્રેણીનું ચોથું વ્યાખ્યાન યોજાયુ

આ વ્યાખ્યાનમાં પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી તથા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સેન ડિએગોમાં ટાટા ચાન્સેલર પ્રોફેસર તરીકે કાર્યરત કાર્તિક મુરલીધરન દ્વારા “Accelerating India’s Development: A State-Led Roadmap for Effective Governance” વિષય પર વિસ્તૃત વ્યાખ્યાન આપવામાં આવ્યું હતુ.વ્યાખ્યાન દરમિયાન  મુરલીધરને જણાવ્યું હતું કે, સુવ્યવસ્થિત નીતિ-નિર્માણ, અસરકારક અમલીકરણ અને જવાબદાર વહીવટના સંકલનથી જ વિકાસલક્ષી હેતુઓને સાકાર કરી શકાય છે.

Gujarati

નૌકાદળના વડાએ સમુદ્રમાં પૂર્વીય કાફલાની ઓપરેશનલ તૈયારીઓની કરી સમીક્ષા

સમુદ્રમાં પૂર્વીય નૌકાદળની તૈયારીની સમીક્ષા કરતી વખતે, ચીફે આધુનિક શસ્ત્રો અને માનવરહિત પ્રણાલીઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં નૌકાદળના કર્મચારીઓની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો. સમીક્ષા દરમિયાન, ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીએ બહુ-ખતરાના વાતાવરણમાં હાથ ધરવામાં આવેલા અદ્યતન ઓપરેશનલ ડ્રીલ્સનું પણ અવલોકન કર્યું.

Gujarati

વિવિધ નગરપાલિકા વિસ્તારોના 1000થી વધુ સફાઈ કર્મચારીઓ સોમનાથમાં કરી રહ્યા છે સ્વચ્છતાનું ભગીરથ કાર્ય

આ ભક્તિમય ઉત્સવમાં સોમનાથને સ્વચ્છ અને પવિત્ર બનાવવા માટે શહેરનું વહીવટીતંત્ર અને અનેક સફાઇ કર્મચારીઓ પોતાનું અતુલ્ય યોગદાન આપી રહ્યા છે. સોમનાથ મહાદેવના સાંન્નિધ્યમાં જે ભક્તિનો માહોલ જામ્યો છે, તેને સ્વચ્છતાના માધ્યમથી વધુ મનમોહક બનાવવામાં શહેરી વહીવટીતંત્ર અને સફાઈ કામદારોએ પાયાની ભૂમિકા ભજવી છે. વિવિધ નગરપાલિકાઓના સંકલન દ્વારા સ્વચ્છતાનું એક ભગીરથ કાર્ય અહીં સાકાર થઈ રહ્યું છે.

Gujarati

સોમનાથના શંખચોકથી મંદિર સુધીની પદયાત્રામાં શિવજીના પ્રિય વાદ્ય ડમરૂના નાદથી ગુંજાયુ

આ આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરતી પદયાત્રામાં રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, સાંસદ રાજેશ ચુડાસમા સહિતના મહાનુભાવો જોડાયા હતા.આ પદયાત્રામાં ગિરનાર તીર્થક્ષેત્રના ઇન્દ્ર ભારતી બાપુ, મહેન્દ્રા નંદગીરી બાપુ, હરીહરાનંદ બાપુ સહિતના સાધુ સંતો જોડાયા હતા, આ દરમિયાન મોટી સંખ્યામાં સાધુ સંતોએ ભગવાન શિવજીના પ્રિય વાદ્ય ડમરૂના નાદનો ગુંજારવ કરીને આધ્યાત્મિક ઉર્જા પ્રસરાવી હતી. ઉપરાંત 75 જેટલા ઢોલ વાદકો સાથેના સિદ્ધિવિનાયક ઢોલ ગ્રુપે તાલબદ્ધ પ્રસ્તુતિથી અનેરો માહોલ સર્જ્યો હતો. 

Gujarati

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સમાનઘરથી ધજા સુધી, ને બિલ્વવનથી વસ્ત્ર પ્રસાદ સુધી સ્ત્રી સશક્તિકરણને પ્રાધાન્ય

સોમનાથ મહાદેવ મંદિરમાં સમાનઘરથી લઈ આકાશે લહેરાતી ધજા સુધી અને બિલ્વવનથી લઈને વસ્તુ પ્રસાદ સુધી મંદિર ટ્રસ્ટ દ્વારા ફક્ત સ્થાનિક મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે.ભગવાન સોમનાથની પાવન ભૂમિ પરથી આસ્થા, સ્ત્રીસશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતનો એક નવો અધ્યાય લખાયો છે. અહીં, મહાદેવને અર્પણ થતાં પીતાંબર હવે માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ દાદાના વસ્ત્રો ગ્રામીણ મહિલાઓના આર્થિક સ્વાવલંબનનું માધ્યમ બન્યા છે.

Gujarati

સોમનાથ સ્વાભિમાન પર્વ: વીર હમીરજી ગોહિલના શૌર્ય અને રાષ્ટ્રીય અસ્મિતાના પુનરુત્થાનનો ઉત્સવ

સોમનાથનો ઇતિહાસ માત્ર આક્રમણોનો જ નહીં, પરંતુ તે આક્રમણો સામે લડીને ખમીર બતાવનારા વીરોનો પણ ઇતિહાસ છે. જ્યારે આતતાયી ઝફરખાનની સેનાએ સોમનાથ પર આક્રમણ કર્યું, ત્યારે લાઠીના રાજકુંવર હમીર ગોહિલે સોમનાથના શિવલિંગની રક્ષા કરવાનો સંકલ્પ કર્યો હતો.નવી પરણેલી પત્નીનો સાથ અને રાજગાદીનો મોહ ત્યજીને તેઓ સોમનાથના રક્ષણ માટે નીકળી પડ્યા હતા. માર્ગમાં વેગડાજી ભીલ જેવા લડવૈયાઓ તેમની સાથે જોડાયા હતા. આ નાનકડી સેનાએ વિશાળ આક્રમણખોર સૈન્ય સામે જે પ્રતિકાર કર્યો, તે આજે પણ ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે અંકિત છે.

Gujarati

રાજ્યપાલ 'ગ્રામ્ય કલ્યાણ કાર્યક્રમ' અંતર્ગત માણસા તાલુકાના,સોલૈયા ગામની બે દિવસીય મુલાકાતે પધાર્યા

રાત્રી વિશ્રામ બાદ તારીખ 8 જાન્યુઆરી ગુરુવારના દિવસે રાજ્યપાલએ પારસા ગામના ખેડૂત આત્મારામ પ્રજાપતિના ‘રામીબા પ્રાકૃતિક ફાર્મ’ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગાય દોહવા સાથે પ્રાકૃતિક કૃષિ ફાર્મનું ઝીણવટ ભર્યુ નિરીક્ષણ કર્યું હતું.છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક કૃષિ થકી જમીનને ફળદ્રુપ બનાવનાર આત્મારામભાઈ પ્રજાપતિએ પોતાના ખેતરમાં થઈ રહેલ વિવિધ પાકો અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત રાજ્યપાલએ બળદ જોતરી ખેતરમાં જાતે હળ ચલાવ્યું હતુ.

Gujarati

સુરત શહેરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસની ઉમંગભેર ઉજવણી

સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી સીધી મદદ પહોંચે તેવા ઉદ્દેશ સાથે સુરતના ઉધના, વેસુ, પાંડેસરા, અલથાણ, અઠવાલાઈન્સ, ભટાર અને સિટી લાઇટ સહિતના વિસ્તારોમાં આરોગ્ય, માનવસેવા અને કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો યોજાયા હતા. જેમાં નાગરિકો, સામાજિક સંસ્થાઓ તથા સ્વયંસેવકોનો ઉત્સાહભેર જોડાયા હતા.સંઘવીના જન્મદિને ઉમરાના કોમ્યુનિટી હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે સિટીલાઇટ વિસ્તારમાં ગંગાસ્વરૂપા બહેનોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Gujarati

માદુરોની ધરપકડ બાદ યુએસ દળોએ બે ટેન્કર કર્યા જપ્ત

યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી રશિયા ગુસ્સે થયું છે, જેના કારણે એવી અટકળો શરૂ થઈ છે કે યુદ્ધ ફરી શરૂ થઈ શકે છે. દરમિયાન, કેરેબિયન સમુદ્રમાં યુએસ સૈન્ય દ્વારા બીજા ટેન્કરને કબજે કરવામાં આવ્યું હતું.બંને ટેન્કરો અલગ-અલગ કામગીરીમાં જપ્ત કરવામાં આવ્યા હતા. યુએસ સૈન્યએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે વેનેઝુએલાના પ્રતિબંધિત તેલ ટેન્કરને એક અઠવાડિયા લાંબા પીછો પછી ઉત્તર એટલાન્ટિકમાં જપ્ત કરવામાં આવ્યું હતું.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply