Skip to main content
Settings Settings for Dark

Live TV

X

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સોમનાથમાં કરી બેઠક

કેન્દ્રીય મંત્રી  ગજેન્દ્રસિંહ શેખાવતએ સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવ્યા બાદ સાગર દર્શન ખાતે એક બેઠક યોજી અને 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત તા.8, 9 અને 10ના રોજ યોજાનાર વિવિધ કાર્યક્રમો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત અન્ય તૈયારીઓ વિશે ઝીણવટપૂર્વકની માહિતી મેળવી હતી.સાગર દર્શન ખાતેની બેઠક પૂર્ણ થયા પછી કેન્દ્રીય મંત્રીએ શૌર્ય યાત્રાના રૂટ શંખ સર્કલ થી હમીરજી ગોહિલ પ્રતિમા થી મંદિર પરિસર સહિતના સ્થળોએ મંત્રીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે રૂટ નિરીક્ષણ કર્યું હતું.

Gujarati

રશિયા યુએસના નિવેદન પર નજીકથી નજર રાખે છે, મરીનેરા ક્રૂને ફોજદારી આરોપોની ચેતવણી

મંત્રાલયે જણાવ્યું હતું કે રશિયાએ માંગ કરી હતી કે અમેરિકા ટેન્કરમાં સવાર રશિયન નાગરિકો સાથે માનવીય વર્તન કરે, તેમના અધિકારોનું સંપૂર્ણ સન્માન કરે અને શક્ય તેટલી વહેલી તકે તેમને ઘરે મોકલી દે.દરમિયાન, યુએસ એટર્ની જનરલ પામ બોન્ડીએ સોશિયલ નેટવર્ક X પર લખ્યું કે યુએસ સત્તાવાળાઓ જપ્ત કરાયેલા મરીનેરા ટેન્કરના ક્રૂ સભ્યો, જેને બેલા-1 તરીકે પણ ઓળખવામાં આવે છે, સામે ફોજદારી આરોપો દાખલ કરશે.

Gujarati

'સોમનાથ સ્વાભિમાન પર્વ'; અતૂટ આસ્થાના 1000 વર્ષ

'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત રાજ્યભરમાંથી સોમનાથ પધારેલા આશરે 2500 જેટલા ઋષિ કુમારો દ્વારા 72 કલાક સુધી અખંડ ઓમકારનો નાદ ગુંજશે; સોમનાથ મહાદેવની સાથે-સાથે દેશભરના શિવાલયો ઓમકાર મંત્ર જાપથી ગુંજી ઉઠ્યા હતા.

Gujarati

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં સોલૈયા ગામે રાત્રી સભા યોજાઈ

રાજ્યપાલએ ગ્રામજનોને પોતાના સંતાનોના સર્વાંગી વિકાસ માટે સારા સંસ્કાર, આદર્શ વિચારો, ઉત્તમ શિક્ષણ અને વ્યસનમુક્ત જીવન પર ખાસ ધ્યાન આપવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, માત્ર સંપત્તિ નહીં, પરંતુ સંસ્કાર સૌથી મોટો વારસો છે. સંયુક્ત પરિવાર અને પરસ્પર ભાઈચારા જેવી ભારતીય સાંસ્કૃતિક પરંપરા જ સાચી શક્તિ છે. 

Gujarati

ગાંધીનગર ખાતે શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને “સ્વનિધિ સમારોહ-2026” વર્કશોપ અને એવોર્ડ સમારોહ યોજાયો

સાથે જ, મંત્રીએ સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા બનાવવામાં આવતી સ્વદેશી વસ્તુઓના પ્રમોશન માટે “સર્જનથી સમૃદ્ધિ સુધી – આત્મનિર્ભર સખી” લોગોનું તેમજ ગુજરાત શહેરી આજીવિકા મિશનની નવીન વેબસાઈટનું અનાવરણ કર્યું હતું.રાજ્યમાં પીએમ સ્વનિધિ યોજનાનું શ્રેષ્ઠ અમલીકરણ કરનાર મહાનગરપાલિકા-નગરપાલિકાઓને શહેરી વિકાસ મંત્રીએ એવોર્ડ એનાયત કરીને સન્માનિત કર્યા હતા. જેમાં મેગા સિટી કેટેગરીમાં અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રથમ અને સુરત મહાનગરપાલિકાએ દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. જ્યારે, મેજર સિટી કેટેગરીમાં ભાવનગર મહાનગરપાલિકાએ પ્રથમ, જામનગર મહાનગરપાલિકાએ દ્વિતીય અને જૂનાગઢ મહાનગરપાલિકાએ તૃતીય ક્રમ મેળવ્યો હતો.

Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11મી જાન્યુઆરીએ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં થશે સામેલ

આ ભારતની સંસ્કૃતિમાં સોમનાથનું અગ્રસ્થાન તથા તેના અવિનાશી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને દર્શાવે છે. છેલ્લા બે દાયકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સોમનાથ મંદિર “સુવર્ણ યુગ”માં પ્રવેશ્યું છે. તેઓ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા ત્યારથી સોમનાથના વિકાસમાં એક નવો અધ્યાય શરૂ થયો છે.ઉલ્લેખનીય છે કે, વર્ષ 2026માં મહમૂદ ગઝનવી દ્વારા સોમનાથ પર 1026માં કરવામાં આવેલા પ્રથમ આક્રમણના હજાર વર્ષ પૂર્ણ થશે. આજે એક હજાર વર્ષ પછી પણ સોમનાથ મંદિર પૂરા ગૌરવ સાથે અડીખમ ઊભું છે. સંયોગવશાત્, 2026માં જ સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના છે.

Gujarati

સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2026 નું પ્રથમ અંગદાન:-અત્યાર સુધી કુલ 224 અંગદાન

સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં સારવાર દરમ્યાન ફરજ પરના ડોક્ટરોએ લીલાબેન તારીખ 06.01.2025 ના રોજ બ્રેઇન ડેડ હોવાનુ નિદાન કર્યુ.સિવિલ હોસ્પિટલ અંગદાન ટીમ દ્વારા તેમના દીકરા  દીકરીને લીલાબેન બ્રેઇન ડેડ હોવાનુ તેમજ તેમના  અંગો નુ દાન કરવા સમજાવ્યા હતા. 

Gujarati

સોમનાથના આંગણે ભક્તિ, શૌર્ય અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી યોજાશે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય મંત્રીમંડળના સભ્યો સહિત સમગ્ર વહીવટી તંત્ર આ પર્વને સફળ બનાવવા માટે કાર્યરત છે. આ પર્વ એ માત્ર ધાર્મિક મહોત્સવ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિના અતૂટ વિશ્વાસ અને આત્મગૌરવનું પ્રતીક પૂરવાર થશે.

Gujarati

એએમસીનાં એસ્ટેટ વિભાગની સઘન કાર્યવાહી, બે દિવસમાં 2.44 લાખનો દંડ વસૂલાયો

આ દબાણો હટાવવાની કામગીરીમાં માત્ર છેલ્લા બે દિવસમાં જ 2,44,400 નો દંડ એએમસી દ્વારા વસૂલાયો હતો. આ કામગીરી દરમિયાન બંને દિવસે 193 લારી-ગલ્લા, 45 દૂર કરાયેલા શેડ, 312 તાડપત્રી, 1423 દૂર કરાયેલ અન્ય પરચૂરણ માલ સામાનની સંખ્યા, 506 જાહેર રસ્તા પર જાહેરાતનાં બોર્ડ, 405 લોક કરેલા વાહનો, 14 ગેરકાયદેસાર પાર્ક થયેલ વાહનોને ટોઇંગ કરેલ વાહનો, અને 405 દંડ કરેલ વાહનોની કુલ સંખ્યા છે.   

Gujarati

સોલૈયા ગ્રામ પંચાયત ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વૃક્ષારોપણ સાથે સ્વચ્છતા અભિયાનને આપ્યો વેગ

સોલૈયા ગામની બે દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે રાજ્યપાલએ ગ્રામ પંચાયતના પ્રાંગણમાં “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી ગ્રામજનોને વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા પ્રેરણા આપી હતી. આ સાથે તેમણે સ્થાનિક અગ્રણીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ગામના મુખ્ય માર્ગો પર સફાઈ હાથ ધરીને સ્વચ્છતા અભિયાનને આગળ વધારવા અનુરોધ કર્યો હતો. આ તકે રાજ્યપાલએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં કહ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિગની સમસ્યાનો સામનો કરી રહ્યું છે, ત્યારે વધુમાં વધુ વૃક્ષો વાવીને આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply