કૃષિ મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને ગુજરાતના બાગાયત ક્ષેત્રને વૈશ્વિક ઊંચાઈ આપતો સેમિનાર યોજાયો
મંત્રીએ તેમના સંબોધનમાં બાગાયત ક્ષેત્ર મારફતે ગુજરાતના ખેડૂતોને વૈશ્વિક બજાર સાથે જોડવાની વિશાળ સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. આ સેમિનારમાં કેરીનું મૂલ્યવર્ધન, ઉત્પાદનની આધુનિક પદ્ધતિઓ, ઉત્પાદનની ગુણવત્તા અને નિકાસ ક્ષમતા વધારવાની સંભાવનાઓ રજૂ કરવામાં આવી હતી.