Skip to main content
Settings Settings for Dark

Live TV

X

અમદાવાદ મંડળ પર રાષ્ટ્રગીત "વંદે માતરમ" ના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સ્મરણ ઉત્સવ કાર્યક્રમનું આયોજન

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે 150 વર્ષ નું પ્રતીક,સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ પ્રકાશિત કર્યા હતા. આ કાર્યક્રમ 7 નવેમ્બર 2025 થી 7 નવેમ્બર 2026 સુધી ચાર તબક્કામાં ચાલનારા રાષ્ટ્રવ્યાપી સ્મરણોત્સવના ઔપચારિક પ્રારંભનું પ્રતિક છે. જે આ અમર રચના, જેણે ભારતના સ્વતંત્રતા આંદોલનને પ્રેરણા આપી હતી અને આજે પણ રાષ્ટ્રીય ગૌરવ તથા એકતાની ભાવનાને મજબૂત બનાવે છે. 

Gujarati

અબ્રાહમ કરાર હેઠળ કઝાકિસ્તાન અને ઇઝરાયલ વચ્ચે નવા સંબંધો માટેની તૈયારીઓ

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર આ જાહેરાત કરતા લખ્યું, "મેં ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ ટોકાયેવ સાથે અદ્ભુત વાતચીત કરી. મારા બીજા કાર્યકાળ દરમિયાન કઝાકિસ્તાન અબ્રાહમ કરારમાં જોડાનાર પહેલો દેશ છે."

અમેરિકન રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું કે આ વિશ્વભરમાં પુલ બનાવવા તરફ એક મોટું પગલું છે.

Gujarati

ભારતના ચૂંટણી પંચના નિયામક અને સચિવએ ગુજરાતમાં ચાલી રહેલા SIRની કરી સમીક્ષા

આ બેઠકમાં SIR પ્રક્રિયાની પ્રગતિની વિગતો આપતાં મુખ્ય નિર્વાચન અધિકારી હારિત શુક્લાએ જણાવ્યું હતું કે,27 ઓક્ટોબર 2025ની સ્થિતિએ ગુજરાતમાં 5,08,43,436 મતદારો નોંધાયેલા હતા, જે તમામને એન્યુમરેશન ફોર્મ એટલે કે ગણતરી પત્રકો પ્રિન્ટ કરીને આપવામાં આવશે. અત્યાર સુધીમાં 5,03,83,022 મતદારોના ગણતરી ફોર્મ પ્રિન્ટ કરી દેવામાં આવ્યા છે, બાકી રહેલા ફોર્મ્સના પ્રિન્ટીંગનું કામ હાલ પ્રગતિમાં છે. પ્રિન્ટ થયેલા ગણતરી ફોર્મ પૈકી 1,01,04,584 ફોર્મ મતદારો સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીના મતદારો સુધી આ ફોર્મ્સ સત્વરે પહોંચાડી દેવામાં આવશે.

Gujarati

મુખ્યમંત્રીએ માઁ અંબાનું પૂજન-અર્ચન કરી રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે કરી પ્રાર્થના

મુખ્યમંત્રી ભગવાન બિરસા મુંડાજીની 150 મી જન્મ જયંતિ અંતગર્ત ઉજવાઈ રહેલી જનજાતિય ગૌરવ યાત્રાનો આરંભ કરાવવા અંબાજી પહોંચ્યા હતા અને  યાત્રા પૂર્વે તેમણે અંબાજી મંદિર ખાતે ભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યા હતા.વિધાન સભા અધ્યક્ષ  શંકર ચૌધરી અને રાજ્ય મંત્રી પ્રવીણ ભાઈ માળી તથા અગ્રણીઓ અને અધિકારીઓ પણ આ અવસરે જોડાયા હતા.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીથી 'જનજાતિય ગૌરવ યાત્રા'ને કરાવ્યું પ્રસ્થાન

7થી13 નવેમ્બર, 2025.કુલ અંતર: 1378 કિ.મી. (બે રૂટ).રૂટ નં-1: ઉમરગામથી એકતાનગર (665 કિમી).રૂટ નં-2: અંબાજીથી એકતાનગર (713 કિમી).રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાનો અને આદિવાસીઓના ઐતિહાસિક યોગદાનથી આજની પેઢીને પ્રેરણા આપવાનો.

Gujarati

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે પોસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સામૂહિક રીતે 'વંદે માતરમ' ગાયુ

આ ક્રમમાં, 7 નવેમ્બરના રોજ અમદાવાદમાં પોસ્ટ વિભાગ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં, ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પોસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મળીને 'વંદે માતરમ' ગાયું અને 'વંદે માતરમ'નું મહત્વ સમજાવ્યું. 

Gujarati

ગુજરાતની લિફ્ટ પાઇપલાઇન ટેક્નિકથી આદિવાસી વિસ્તારોમાં ખેતીનું ચિત્ર બદલાયુ

રાજ્ય સરકારે છેલ્લા 7 વર્ષમાં ₹5115 કરોડનો જંગી ખર્ચ કરીને આદિવાસી વિસ્તારમાં 1,39,510 એકરથી વધુ ખેતીની જમીનને સિંચાઈ પૂરી પાડી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે લિફ્ટ પાઇપલાઇન ટેક્નિક માટે માત્ર ત્રણ વર્ષ (2023, 2024 અને 2025)માં ₹2212 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. તો 2019, 2020, 2021 અને 2022માં રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ સુવિધાઓને વધુ સારી બનાવવા માટે ₹2903 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે.

Gujarati

ગુજરાતમાં રાસાયણિક ખેતીના કારણે કેન્સર થવાનો ખતરો વધ્યો છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલએ 7 નવેમ્બરને રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉલ્લેખ કરીને ગુજરાતમાં કેન્સરના વધતા આંકડાઓ રજૂ કર્યા.ગુજરાત પ્રદેશ કેન્સર સોસાયટીના અધ્યક્ષ તરીકે તેમણે માહિતી આપી કે ગુજરાતમાં દરરોજ 790 નવા કેન્સરના દર્દીઓ સામે આવી રહ્યા છે.2020માં 70,000 કેન્સરના દર્દીઓ હતા, જે પાંચ વર્ષમાં વધીને પ્રતિ વર્ષ દોઢ લાખ નવા દર્દીઓ થઈ ગયા છે.પીએમ જન આયુષ્માન યોજના હેઠળ જ છેલ્લા એક વર્ષમાં 2.88 લાખ કેન્સરના દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.તેમણે ચેતવણી આપી કે જો ભારતમાં રાસાયણિક ખેતી ચાલુ રહેશે, તો આગામી 7-8 વર્ષમાં કેન્સરનો ભયંકર વિસ્ફોટ થશે.તેમણે તમાકુ જેવી જીવલેણ રોગો પેદા કરતી ખેતી ન કરવા ખેડૂતોને વિ

Gujarati

કેન્સરની સર્જરી બાદ દર્દીઓને જરૂરી કીમોથેરાપી સારવાર માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં કીમોથેરાપી સેન્ટર્સ કાર્યરત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તા.11 ઓક્ટોબર 2022ના રોજ આરોગ્ય તથા તબીબી સેવાઓને છેવાડાનાં મનુષ્ય સુધી પહોંચાડવા માટે કેટલીક સેવાઓનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતના છેવાડાના નાગરિકને કોઈ પણ ગંભીર રોગ સામે તબીબી સેવાઓનું રક્ષણ મળી રહે તે પ્રકારનું સતત આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની આગેવાનીમાં થઇ રહ્યું છે.    

Gujarati

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની રાજભવન ખાતે શુભેચ્છા મુલાકાત

રાજ્યપાલએ આ મુલાકાત દરમ્યાન જણાવ્યું કે, માન.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમો થઈ રહ્યા છે. આવા અભિયાનોથી પ્રકૃતિનું જતન અને સંવર્ધન થઈ રહ્યુ છે જે આવનારી પેઢી માટે અંત્યત જરૂરી છે. મંત્રીએ વન અને પર્યાવરણ વિભાગ હેઠળની વિવિધ યોજનાઓ તેમજ આગામી સમયમાં ગુજરાતનું ગ્રીન કવર વધુને વધુ વિસ્તરે તેવા આયોજનો અને નવા અભિગમો વિશે માહિતી આપી હતી. રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિ દ્વારા થતા ફાયદાઓ ગણાવી જમીન, જળ અને પર્યાવરણના સંરક્ષણના પ્રયાસોને વધુને વધુ પ્રોત્સાહન આપવા પર ભાર મુક્યો હતો.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply