NFSU,ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય સાયબર ક્રાઇમ વિરોધી ઝુંબેશ 'હેક્ડ 2.0'નું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સાયબર ક્રાઈમથી બચવાનો એકમાત્ર ઉપાય એટલે જાગૃતિ. જે કોઈ સાયબર ક્રાઈમનો શિકાર બને તેણે તરત જ 1930 નંબર ડાયલ કરવો. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, ગ્રામીણ વિસ્તાર કરતાં શહેરી વિસ્તારના લોકો વધુ સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યાં છે. ખાસ કરીને વડીલો ડિજિટલ એરેસ્ટના શિકાર બની રહ્યાં છે. આ સ્થિતિમાં સાયબર ક્રાઈમ અંગેની જાગૃતિ અત્યંત જરૂરી છે. આવા પડકારજનક સમયમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી અને ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા સામાજિક જવાબદારીના કરેલા આ મહત્ત્વપૂર્ણ પ્રયાસને મંત્રીએ બિરદાવીને બંને સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા.