Skip to main content
Settings Settings for Dark

Live TV

X

કોચી કિનારે લાઇબેરિયન જહાજ ડૂબી ગયા બાદ ભારતીય કોસ્ટ ગાર્ડ હાઇ એલર્ટ પર

લાઇબેરિયન જહાજના તમામ (24) ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. આમાંથી 21 લોકોને ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) દ્વારા અને ત્રણને ભારતીય નૌકાદળના જહાજ INS સુજાતા દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. ક્રૂમાં એક રશિયન (કેપ્ટન), બે યુક્રેનિયન, એક જ્યોર્જિયન અને 20 ફિલિપાઇન્સના નાગરિકો હતા.24 મેના રોજ બપોરે 1:25 વાગ્યે, MSC એલ્સા 3 માંથી ખામીની માહિતી આવી હતી, જ્યારે જહાજ કોચીથી લગભગ 38 નોટિકલ માઇલ દૂર હતું. જહાજ 26 ડિગ્રી જમણી તરફ ઝૂક્યું હતું અને ડૂબી જવાનો ભય હતો.

Gujarati

જમ્મુ અને કાશ્મીર: યુદ્ધવિરામ બાદ રાજૌરીના ખેડૂતો પાકના નુકસાનની ચિંતામાંથી થયા મુક્ત

યુદ્ધવિરામ બાદ રાજૌરીના ખેડૂતો ખુશ છે. તેઓ પાક વાવવા માટે ઉત્સાહિત છે. કૃષિ વિભાગે બીજ વિતરણમાં પણ તેની પ્રવૃત્તિ વધારી છે. પાકિસ્તાન તરફથી થઈ રહેલા ગોળીબારને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી સરહદી વિસ્તારોમાં તણાવનું વાતાવરણ હતું, જેના કારણે ખેતીના કામ પર ખરાબ અસર પડી રહી હતી. ખેડૂતોને ચિંતા હતી કે તેમની મહેનત અને પાક વ્યર્થ ન જાય.જોકે, હવે યુદ્ધવિરામ લાગુ થયા પછી, સરહદી વિસ્તારોમાં શાંતિ પુનઃસ્થાપિત થઈ છે અને ખેડૂતો ફરી એકવાર પોતાના ખેતરોમાં પાછા ફરવા લાગ્યા છે. મકાઈની વાવણીની મોસમ શરૂ થઈ ગઈ છે અને ખેડૂતો કૃષિ કચેરીમાંથી બીજ મેળવવા માટે ઉત્સાહિત છે.

Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કરશે 'મન કી બાત'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર 'મન કી બાત' કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો ૧૨૨મો એપિસોડ હશે. 

આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝ વેબસાઇટ અને મોબાઈલ એપ પર સમાચાર પર કરવામાં આવશે. તેનું ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝ, દૂરદર્શન ન્યૂઝ, પ્રધાનમંત્રી કાર્યાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે. ઓલ ઈન્ડિયા રેડિયો પરથી હિન્દી પ્રસારણ પછી તરત જ 'મન કી બાત' કાર્યક્રમ પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે.

Gujarati

પ્રધાનમંત્રીએ નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં સંબોધન કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકના ઉદ્ઘાટન સંબોધનમાં કહ્યું હતું કે ભારતે ભવિષ્ય માટે તૈયાર શહેરોને વિકસાવવા તરફ કામ કરવું જોઈએ. કેન્દ્ર અને તમામ રાજ્યોને વિકાસની ગતિ વધારવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ.

પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યું, "આપણે વિકાસની ગતિ વધારવી પડશે. જો કેન્દ્ર અને બધા રાજ્યો ટીમ ઈન્ડિયાની જેમ સાથે મળીને કામ કરે, તો કોઈ પણ લક્ષ્ય અશક્ય ન હોઈ શકે."

Gujarati

પીએમ મોદી દાહોદમાં 26 મેના રોજ વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 અને 27 મે, 2025 દરમિયાન રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી દાહોદમાં ખરોડ ખાતે 26 મેના રોજ યોજાનાર કાર્યક્રમમાં રેલવે સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ₹24 હજાર કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કરશે. 

દાહોદમાં ‘મેઇક ઇન ઇન્ડિયા’ અભિગમ સાથે 21 હજાર કરોડથી વધુના ખર્ચે રેલ્વે પ્રોડક્શન યુનિટ તૈયાર. પ્રધાનમંત્રી ₹181 કરોડના ખર્ચે નિર્માણ થયેલ પીવાના પાણીની ચાર જેટલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરશે.

Gujarati

જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયુ ,માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

સમુદ્રમાં ડિપ્રેશનના કારણે ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.જાફરાબાદ બંદર પર તકેદારીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયો તોફાની બની શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.જાફરાબાદ ફિશરીજ અધિકારી કિશોર સિકોતેરિયાના જણાવ્યા મુજબ, તમામ બોટ જાફરાબાદ બંદર પર પરત ફરી ગઈ છે. આસપાસના વિસ્તારની બોટ પણ સુરક્ષિત રીતે બંદર પર પહોંચી ગઈ છે.

Gujarati

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી 'સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન'માં સહભાગી થયા

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આજે 'સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન'માં જોડાયા હતા. ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે તેમણે અમદાવાદમાં વલ્લભ સદન પાસે સાબરમતી નદીના પટમાં ઉતરીને સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું. અમદાવાદના નાગરિકોને સંબોધીને તેમણે કહ્યું કે, જે લોકો સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતાનો આનંદ લઈ રહ્યા છે તેમણે સાબરમતી નદીની સ્વચ્છતામાં પણ સહભાગી થવું જોઈએ. સાબરમતીની સ્વચ્છતાની જવાબદારી લેવી જોઈએ.

Gujarati

રત્નકલાકારો માટે રાજ્ય સરકારે રાહત પેકેજની કરી જાહેરાત

ડાયમંડ ઉદ્યોગમાં ત્રણ વર્ષથી મંદી ચાલી રહી છે ત્યારે આખરે આજે રાજ્ય સરકારે બેરોજગાર રત્નકલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે.આ રાહતનો લાભ 31/03/24 પછી કામ ન મળ્યું અને તેમને કારખામાંથી છુટા કર્યા હોય તેને મળશે. આ પેકેજમાં 5 લાખની લોન ઉપર 9 ટકાની ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય કરાશે. રત્નકલાકારના સંતાનની એક વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13500 સુધીની માફ કરવામાં આવશે. આમ આ ફી સરકાર દ્વારા DBT મારફતે આ ફી ટ્રાન્સફર કરવામાં આવશે. તેમજ વીજ ડ્યુટીમાં એક વર્ષ માટે રાહત આપવામાં આવશે.

Gujarati

કર્ણાવતી ક્લબ ખાતે ધી ફ્યૂચર ઑફ એજ્યુકેશન એક્સ્પો 2025નો શુભારંભ

અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે એજ્યુકેશન એક્સ્પો 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ધી ટાઈમ્સ ઑફ ઈન્ડિયા દ્વારા આયોજિત ધી ફ્યૂચર ઑફ એજ્યુકેશન એક્સ્પો 2025નો શુભારંભ કરાવ્યો.

એજ્યુકેશન એક્સ્પોમાં વિવિધ યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો વિશે એક જ પ્લેટફોર્મ ઉપર વિદ્યાર્થીઓની માહિતી મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

Gujarati

ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ માટે શુભમન ગિલ કેપ્ટન બન્યા, ઋષભ પંત વાઇસકેપ્ટન

શુભમન ગિલને ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ સીરિઝ માટે ભારતના નવા ટેસ્ટ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે વિકેટકીપર ઋષભ પંતને ટીમના વાઇસકેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કરુણ નાયર ભારતીય ટીમમાં પરત ફર્યા છે જ્યારે બી સાઈ સુદર્શન અને અભિમન્યુ ઈશ્વરનને પણ ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply