ભારત ગૌરવ પ્રવાસન ટ્રેન દક્ષિણ ભારતનું ભ્રમણ કરી સફળતાપૂર્વક પરત ફરી
આ માહિતી જાહેર કરતા, IRCTC પશ્ચિમ ઝોન અમદાવાદના પ્રવક્તા જિતેન્દ્ર કુમાર જયંતે જણાવ્યું હતું કે ગુજરાત અને અન્ય રાજ્યોના 335 યાત્રાળુઓ તિરુપતિ બાલાજી, રામેશ્વરમ જ્યોતિર્લિંગ, મીનાક્ષી મંદિર, કન્યાકુમારી અને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે આ ખાસ દક્ષિણ ભારત યાત્રા ટ્રેનમાં સવાર થયા હતા. બધા યાત્રાળુઓ તેમની યાત્રા પૂર્ણ કરીને ઘરે પરત ફર્યા છે. ટ્રેન સફળતાપૂર્વક અમદાવાદ અને રાજકોટ પરત ફરી.આ યાત્રા દરમિયાન, બધા યાત્રાળુઓના ભોજન અને રહેવાની વ્યવસ્થા તેમજ તેમના સ્વાસ્થ્ય માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.