ગાંધીનગરના 62મા સ્થાપના દિવસની ઉજવણી, CMએ વૃક્ષારોપણ અભિયાનનો કરાવ્યો પ્રારંભ
ગાંધીનગર શહેરના 62મા સ્થાપના દિવસ નિમિત્તે કોબા તળાવ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં એક પ્રેરણાદાયી જનકલ્યાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીએ પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લઈને 14 હજાર વૃક્ષારોપણ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો, સાથે જ 'કેચ ધ રેઇન' અભિયાન અંતર્ગત રિચાર્જ વેલનું નિરીક્ષણ કરી જળ સંચયનો સંદેશ આપ્યો હતો.