પ્રસિદ્ધ માધવપુર ઘેડ મેળાનો રાજ્યના કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં થયો પ્રારંભ
ગુજરાતના પવિત્ર અને ઐતિહાસિક દરિયાકાંઠે આવેલા માધવપુર (ઘેડ) ખાતે પરંપરાગત મેળાનો કેબિનેટ મંત્રી અર્જૂન મોઢવાડિયાની ગરિમામય ઉપસ્થિતિમાં ભવ્ય પ્રારંભ થયો છે. આ અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ સાથે મેળાની રોનકમાં વધારો થયો હતો. મંત્રીએ આ પ્રસંગે માધવપુરવાસીઓ અને મેળામાં ઉમટી પડેલા શ્રદ્ધાળુઓને હાર્દિક શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારકાથી સોમનાથ સુધીની દરિયાઈ પટ્ટી પર આવેલા તમામ ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ કટીબદ્ધ છે.