નવસારીમાં પૂર બાદ રાહત અને પુનઃસ્થાપનની કામગીરી તેજ: મંત્રીઓએ લીધી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત
કલેક્ટર મનીષ ગુરવાનીએ રેસ્ક્યુ, આશ્રયસ્થાન, ભોજન, આરોગ્ય અને વીજ-રસ્તા પુનઃસ્થાપનની કામગીરીની વિગતો આપી.પૂરના પાણી ઓસર્યા બાદ પાક, મકાન અને જાહેર મિલકતોના નુકસાનના સર્વેની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો અટકાવવા માટે સફાઈ અને જંતુનાશક દવાઓનો છંટકાવ યુદ્ધના ધોરણે શરૂ કરાયો છે.